ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

ઢોરને બીજાની વાડીમાં છૂટા મૂકી ભેલાણ કરતા પિતા-પુત્ર સામે ત્રણ ગુના નોંધાયા

રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લુખ્ખાઓની દાદાગીરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ તાલુકાના પાડાસણ ગામે ભયનો માહોલ ફેલાવી ગ્રામજનોને ધાકધમકીઓ દેતા ગેલા રાજા મુંધવા અને તેના દીકરા મનીષ સામે પોલીસે ત્રણ ગુના નોંધી કાર્યવાહી કરી છે.

પાડાસણ ગામે ગેલા ભરવાડ અને તેનો દીકરો ગામના વાડી-ખેતરોમાં તેમના ઢોરને છૂટા મુકી ભેંલાણ કરતા હોવાની અને આ મુદ્દે પિતા-પુત્રને સમજાવવા જતા બંને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગામમાં ભયનો માહોલ ફેલાવતા હોવાની પોલીસના ઉચ્ચ અધિકારીને ગ્રામજનોએ રજૂઆત કરી હતી.

જેને પગલે તપાસના આદેશ કરતા આજી ડેમ પોલીસની તપાસમાં ગામમાં લુખ્ખાગીરી આચરી ધમકીઓ દેતા પિતા-પુત્રે 23 દિવસમાં ત્રણ વાડીમાં તેમના ઢોર છૂટા મૂકી ધાણા, તુવેર, કપાસને મોટુ નુકસાન પહોંચાડયાનું તેમજ ભેલાણ કર્યા અંગેની તેમને વાત કરવા જતા કુંડળીવાળી લાકડી બતાવી ગ્રામજનોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બાધુભાઇ રામજીભાઇ મુંગપરા, બાધુભાઇ શામજીભાઇ વઘાસિયા, વીરજીભાઇ અરજણભાઇ વઘાસિયાની ફરિયાદ નોંધી છે.

ફરિયાદને પગલે પોલીસની ટીમ લુખ્ખાગીરી આચરનાર પિતા-પુત્રને પકડવા તેના ઘરે જતા બંને નાસી ગયા હતા. પોલીસ તપાસમાં પિતા-પુત્રે તેમના મકાનમાં લંગરિયા નાંખી વીજ કનેકશન મેળવ્યું હોવાનું જાણવા મળતા લાઇટ કનેક્શન કાપી નાખ્યું હતું. તેમજ તેના ઘરમાંથી કેટલોક સામાન મળી આવતા પોલીસે તે કબજે કર્યો છે. પોલીસે ભરવાડ પિતા-પુત્રના ઢોરને પણ કબજે કરવા કાર્યવાહી કરી છે.

મારામારીના અન્ય એક બનાવમાં ગોંડલ રોડ, લોધેશ્વર સોસાયટી-2-6માં રહેતા માધવભાઇ ગાંડુભાઇ મોટલિયા નામના પ્રૌઢે અંકુશ કરમસીંગ જરિયા, નટુ કરમસીંગ જરિયા, વિવેક યોગેશ જરિયા, કમલેશ દીપક જરીયા, પ્રકાશ ભરત જરીયા, દિપક કરમસીંગ જરીયા અને મહેશ ઉમેદ જરીયા સામે પોતાને તેમજ પુત્રને માર માર્યાની તેમજ ઘર પર પથ્થરમારો કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. શેરીમાં છોકરાઓ બપોરે રમતા હોય તેમને ઘરે જતા રહેવાનું કહ્યાનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી માર માર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow