સગીરોને યાતનાઓ આપીને માતા-પિતાને આંદોલન બંધ કરાવવા ધમકી

સગીરોને યાતનાઓ આપીને માતા-પિતાને આંદોલન બંધ કરાવવા ધમકી

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સતત ઉગ્ર થઈ રહ્યું છે. બીજી તરફ, સરકાર આંદોલનમાં સામેલ લોકોને ભારે યાતનાઓ આપી રહી છે. સુરક્ષા દળો એ બાળકોને પણ પકડી રહ્યા છે, જે આ આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. ઈરાની અધિકારીઓના મતે, આંદોલનકારીઓની ઉંમર સરેરાશ 15 વર્ષ છે. આ આંકડો કહે છે કે, યુવાનોની સાથે કિશોરોએ પણ આ આંદોલનમાં આક્રમકતાથી ભાગ લીધો છે.

હાલમાં જ પોલીસે અનેક કોલેજ-સ્કૂલોમાં મોટી સંખ્યામાં કિશોરોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસે તેમને યાતનાઓ આપી અને તેમના માતા-પિતા પર દબાણ કર્યું કે, તમારા સંતાનોને આંદોલન નહીં કરવા સમજાવી લો. જો તેઓ આંદોલન કરશે તો અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ, માનવાધિકાર સંસ્થાઓનો દાવો છે કે, હિજાબ વિરોધી આંદોલનમાં અત્યાર સુદી 50 કિશોરના મોત થયા છે, જ્યારે એક હજાર સગીરો અટકાયતમાં છે. તેમને પોલીસ દ્વારા ભારે યાતનાઓ અપાઈ રહી છે.

ગેરબંધારણીય આદેશ હેઠળ બાળકોનું દમન
ઈરાની માનવાધિકાર વકીલ હોસૈન રઇસી દ્વારા શેર કરાયેલા ઓડિયો મેસેજમાં એક અધિકારીએ કહ્યું કે, સરકારે એક સિક્રેટ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, સગીરો સાથે સંકળાયેલા મામલા સુરક્ષા અને ગુપ્તચર નિષ્ણાતો દ્વારા હેન્ડલ કરાય, પરંતુ જોગવાઈ એવી છે કે, સગીરોને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં જ મોકલી શકાય. તેમની પૂછપરછનો અધિકાર ફણ ફક્ત તાલીમ પામેલા જજોને જ હોય છે.

અટકાયતમાં કિશોરોનું બ્રેઇનવૉશ કરાય છે
યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 14 હજારથી વધુ આંદોલનકારીની ધરપકડ કરાઈ છે. અટકાયતમાં લેવાયેલા કિશોરોને ધર્મગુુરુઓ અને મનોવિજ્ઞાનીઓની દેખરેખમાં રખાયા છે. તેમને એવું માનવા મજબૂર કરાઈ રહ્યા છે કે, તેમણે વિરોધ કરીને મોટું પાપ કર્યું છે. આ માટે તેમણે ખેદ પ્રગટ કરવો જોઈએ અને પોતાનો ગુનો કબૂલ કરી લેવો જોઈએ. અનેક બાળકોને તો માનસિક રોગોને લગતી દવાઓ પણ અપાઈ રહી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow