સગીરોને યાતનાઓ આપીને માતા-પિતાને આંદોલન બંધ કરાવવા ધમકી

સગીરોને યાતનાઓ આપીને માતા-પિતાને આંદોલન બંધ કરાવવા ધમકી

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સતત ઉગ્ર થઈ રહ્યું છે. બીજી તરફ, સરકાર આંદોલનમાં સામેલ લોકોને ભારે યાતનાઓ આપી રહી છે. સુરક્ષા દળો એ બાળકોને પણ પકડી રહ્યા છે, જે આ આંદોલનમાં ભાગ લઈ ચૂક્યા છે. ઈરાની અધિકારીઓના મતે, આંદોલનકારીઓની ઉંમર સરેરાશ 15 વર્ષ છે. આ આંકડો કહે છે કે, યુવાનોની સાથે કિશોરોએ પણ આ આંદોલનમાં આક્રમકતાથી ભાગ લીધો છે.

હાલમાં જ પોલીસે અનેક કોલેજ-સ્કૂલોમાં મોટી સંખ્યામાં કિશોરોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસે તેમને યાતનાઓ આપી અને તેમના માતા-પિતા પર દબાણ કર્યું કે, તમારા સંતાનોને આંદોલન નહીં કરવા સમજાવી લો. જો તેઓ આંદોલન કરશે તો અત્યંત ખરાબ પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ, માનવાધિકાર સંસ્થાઓનો દાવો છે કે, હિજાબ વિરોધી આંદોલનમાં અત્યાર સુદી 50 કિશોરના મોત થયા છે, જ્યારે એક હજાર સગીરો અટકાયતમાં છે. તેમને પોલીસ દ્વારા ભારે યાતનાઓ અપાઈ રહી છે.

ગેરબંધારણીય આદેશ હેઠળ બાળકોનું દમન
ઈરાની માનવાધિકાર વકીલ હોસૈન રઇસી દ્વારા શેર કરાયેલા ઓડિયો મેસેજમાં એક અધિકારીએ કહ્યું કે, સરકારે એક સિક્રેટ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, સગીરો સાથે સંકળાયેલા મામલા સુરક્ષા અને ગુપ્તચર નિષ્ણાતો દ્વારા હેન્ડલ કરાય, પરંતુ જોગવાઈ એવી છે કે, સગીરોને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં જ મોકલી શકાય. તેમની પૂછપરછનો અધિકાર ફણ ફક્ત તાલીમ પામેલા જજોને જ હોય છે.

અટકાયતમાં કિશોરોનું બ્રેઇનવૉશ કરાય છે
યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે, અત્યાર સુધી આશરે 14 હજારથી વધુ આંદોલનકારીની ધરપકડ કરાઈ છે. અટકાયતમાં લેવાયેલા કિશોરોને ધર્મગુુરુઓ અને મનોવિજ્ઞાનીઓની દેખરેખમાં રખાયા છે. તેમને એવું માનવા મજબૂર કરાઈ રહ્યા છે કે, તેમણે વિરોધ કરીને મોટું પાપ કર્યું છે. આ માટે તેમણે ખેદ પ્રગટ કરવો જોઈએ અને પોતાનો ગુનો કબૂલ કરી લેવો જોઈએ. અનેક બાળકોને તો માનસિક રોગોને લગતી દવાઓ પણ અપાઈ રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow