પ્રેમી પરિણીત હોવાની ખબર પડતાં સંબંધ તોડનાર યુવતીને ધમકી આપી

પ્રેમી પરિણીત હોવાની ખબર પડતાં સંબંધ તોડનાર યુવતીને ધમકી આપી

22 વર્ષીય યુવતીના તેની સાથે કેટરિંગમાં કામ કરતાં યુવક સાથે પ્રેમસંબંધો બંધાયા હતા. પરંતુ પ્રેમી પરિણીત હોવાની ખબર પડતાં યુવતીએ સંબંધ વિચ્છેદ કર્યો હતો. જેના પગલે આ પરિણીત પ્રેમીએ જે જગ્યાએ યુવતીના લગ્ન થવાના હતાં તે જગ્યાએ ફોન કરી જણાવ્યું હતું કે ‘તમારા છોકરા સાથે જે છોકરીના લગ્ન કરો છો તે સારી નથી અને તેનું મારી સાથે પ્રેમસંબંધ છે’ એટલું જ નહીં યુવતી અને તેના પરિવારને અપશબ્દો બોલી ધમકી આપનાર લાલગેટ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

લાલગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી 3 વર્ષ પહેલા કેટરર્સ કામ કરતી ત્યારે તેના મનોજ ભદોરીયા પ્રેમસંબંધ બંધાયો હતો. મનોજ ભદોરીયાના લગ્ન થયાં હોવાનું 6 મહિના પૂર્વે ખબર પડતા યુવતીએ પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. ત્યાર બાદ મનોજ સંબંધ રાખવા કોલ કરતો હતો. એટલું જ નહિ યુવતીના સાસરી પક્ષને કોલ કરી હેરાન કરતો હતો. ઉપરથી યુવતીના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી પરિવારના સભ્યોને જાતિ વિશે અપશબ્દો બોલી હેરાન કરતો હતો.

17મી માર્ચે યુવતીની બહેન અને માતાને કોલ કરી મનોજે ગાળો આપી ધમકી આપી હતી. જેના પગલે યુવતીએ લાલગેટ પોલીસમાં મનોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મનોજ વિજયપ્રતાપસીંગ ભદોરીયા(રહે,ભરવાડ મહોલ્લો, નાના વરાછા)ની સામે ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow