યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

યુક્રેનમાં હજારો મહિલા અને બાળકો કારમાં રાત વીતાવે છે

આશરે ત્રણ કરોડની વસતી ધરાવતું યુક્રેન ઠુઠવાઇ ગયું છે. આકાશમાંથી હિમવર્ષા અને રશિયન મિસાઇલોના હુમલાની બેવડી આફત યુક્રેનના નાગરિકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. મિસાઇલોથી ઇમારતો પડી રહી છે.

તૂટેલા દરવાજા-બારીઓમાંથી લોહી જામી જાય એવી બર્ફીલી હવા આવી રહી છે. પારો માઇનસ બે ડિગ્રી થઇ ગયો છે અને પંદરેક દિવસમાં માઇનસ વીસ ડિગ્રી થઇ જશે. હુમલાના કારણે પાણીની પાઇપલાઇનો તૂટી ગઇ છે, જેથી લોકો હેન્ડપંપથી પાણી ભેગું કરી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી જમા કરવાના વાસણો પણ નથી, એટલે બાથ ટબમાં પીવાનું પાણી જમા કરાઇ રહ્યું છે. 25 લાખની વસતી ધરાવતી રાજધાની કીવમાં 20% અને યુક્રેનના તો 50% વિસ્તારમાં વીજ પુરવઠો પણ નથી.

ઘરોમાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ ઠપ છે. લોકો પાસે રજાઇ-કામળા પણ નથી, એટલે મહિલાઓ-બાળકો કારમાં રાત વીતાવે છે. વળી, અહીં યુરોપથી આવતી પાણીની બોટલોના ભાવ પાંચ ગણા વધી ગયા છે. જોકે, હાલ ભોજનની અછત નથી, પરંતુ ફૂડ માર્ટ બંધ થઇ ગયા છે. નાના સ્ટોરમાંથી લોકોને સામાન મળી જાય છે. અનેક લોકોએ નોન-વેજ ભોજન સ્ટોર કર્યું છે, જે શિયાળામાં ઝડપથી ખરાબ પણ નથી થતું.

ઘરોનું રિપેરિંગ કરનારા કારીગરો પણ નથી | યુક્રેનમાં રશિયન હુમલાથી નુકસાનગ્રસ્ત અનેક ઇમારતોનું હંગામી ધોરણે રિપેરિંગ પણ થઈ શકતું નથી. તેનું કારણ એ છે કે, દોઢ કરોડ લોકો હિજરત કરી ચૂક્યા છે, જેમાં મોટા ભાગના લોકો વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા કારીગરો હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow