પૂર્વ રાષ્ટ્રપતિના હજારો સમર્થકો સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યાI’m

પૂર્વ રાષ્ટ્રપતિના હજારો સમર્થકો સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યાI’m

બ્રાઝિલમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના હજારો સમર્થકો પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા હતા. આ લોકોએ તોડફોડ કરી હતી. પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી છે.

સરકારી ઈમારતોમાં ઘૂસેલા તત્વોને પોલીસે બહાર કાઢી મૂક્યા છે. સરકારે કહ્યું કે આ અચાનક હુમલા જેવું હતું. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ બનેલા લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ હુમલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.

બ્રાઝિલની મુખ્ય સરકારી ઈમારતોમાં જે રીતે હિંસા થઈ હતી, તેવી જ હિંસા 2 વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા. ત્યાં પણ તોડફોડ થઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ હિંસા માટે ટ્રમ્પને જ જવાબદાર ઠેરવ્યા હતા. બ્રાઝિલના ન્યાય પ્રધાન ફ્લાવિયો ડીનોએ કહ્યું, "ઇન્ટરનેટ પર હજુ પણ એવા લોકો છે જેઓ કહી રહ્યા છે કે આવી આતંકવાદી ઘટનાઓ બંધ નહીં થાય. પરંતુ અમે તેમને એવું કરવા દઈશું નહીં. તેઓ બ્રાઝિલના લોકતંત્રને નષ્ટ કરી શકશે નહીં. અમે રાજકીય સંઘર્ષને અપરાધના રસ્તે નહીં જવા દઈએ. ગુનેગારો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow