જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

જેમની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હશે તેમણે કરાવવું પડશે આવું કામ, UIDAIનો મોટો નિર્ણય

આધાર કાર્ડ ઈસ્યુ કરનાર સરકારી સંસ્થા UIDAIએ એક મોટું અપડેટ આપતાં એવું જણાવ્યું છે કે જે લોકોની પાસે 10 વર્ષ જુનું આધાર કાર્ડ હોય તેમણે દસ્તાવેજો આપીને આધારની માહિતી અપડેટ કરાવી લેવી પડશે.

આધારની માહિતી અપડેટ કરવી પડશે
UIDAIએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આધાર ધારકો માય વેબ પોર્ટલ પર આધારભૂત દસ્તાવેજો (ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો) ઓનલાઈન અપડેટ કરી શકે છે. આ સિવાય જો તેઓ ઇચ્છે તો આધાર સેન્ટર પર જઇને ઓફલાઇન પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જે રહેવાસીઓએ 10 વર્ષ પહેલાં તેમના આધારનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે પછી તેમણે ક્યારેય પણ આધાર અપડેટ કરાવ્યું નથી તેમણે તેમના દસ્તાવેજોને અપડેટ કરવા જોઈએ.

આધાર અપડેટ કરાવી લેવાથી વધારે સારી મળી રહે છે
UIDAIનું કહેવું છે કે ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેવાથી જીવન ધોરણમાં સુધારો, સારી સેવા મળી રહે છે અને વધારે સારી રીતે સત્યતા સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આધાર ઓથોરિટી હંમેશા લોકોને તેમનું કાર્ડ અપડેટ કરાવી લેવાનું કહેતી હોય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow