ડાયાબિટીસના લોકો માટે વરદાનરૂપ છે આ શાકભાજી, ટ્રાઇ કરશો તો બ્લડ સુગર આવી જશે કંટ્રોલમાં

ડાયાબિટીસના લોકો માટે વરદાનરૂપ છે આ શાકભાજી, ટ્રાઇ કરશો તો બ્લડ સુગર આવી જશે કંટ્રોલમાં

કરોડો લોકો ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. લગભગ તમામ ઉંમરના લોકો આ બિમારીથી પરેશાન છે. આ બિમારીમાં બ્લડ શુગર વધી જાય છે તથા શરીરના અન્ય અંગો પર પણ અસર થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર નિયંત્રિત રાખવા માટે ખાવા પીવાની વસ્તુઓથી લઈને પોતાની લાઈફ સ્ટાઈલનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલાક ઘરેલાં નુસ્ખા અપનાવીને ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. અમે તમને અહીંયા એક એવી વસ્તુ વિશે જાણકારી આપીશું, જે તમામ રસોડામાં હશે જેનાથી ડાયાબિટીસ નિયંત્રિત રાખી શકાય છે. આ શાકભાજીનું યોગ્ય પ્રકારે સેવન કરવાનું રહેશે.

બ્રિટિશ વેબસાઈટ એક્સપ્રેસ રિપોર્ટ અનુસાર અમેરિકાના સૈન ડિએગોમાં એન્ડોક્રાઇન સોસાયટીની વાર્ષિક બેઠક થઈ હતી. જેમાં અનેક રિસર્ચર્સે પોતાના રિસર્ચ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓ માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. જેનાથી બ્લડ શુગર લેવલ મહદ્અંશે નિયંત્રિત કરી શકાય છે. રિસર્ચર્સ જણાવે છે કે, ડુંગળી ચમત્કારિક તરીકે કાર્ય કરી શકે છે, જેનાથી આડઅસર પણ થતી નથી.

ડુંગળીથી બ્લડ શુગર રહેશે નિયંત્રિત

રિસર્ચર્સ જણાવી રહ્યા છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ. દરરોજ ડુંગળીના રસનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગર 50% સુધી ઓછું કરી શકાય છે. સૌથી પહેલા આ રિસર્ચ ઉંદર પર કરવામાં આવ્યું હતું. સ્ટડી દરમિયાન ડાયાબિટીસગ્રસ્ત ઉંદરોને 200, 400 અને 600 મિલીગ્રામ ડુંગળીનો રસ આપવામાં આવ્યો હતો. જેનાથી ઉંદરના બ્લડ શુગરમાં 35 થી 40% નો ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત ઉંદરોનું વજન પણ વધ્યું નહોતું. જેથી કહી શકાય કે, બ્લડ શુગરની સાથે સાથે વજન પણ નિયંત્રિત થઈ શકે છે.

શરીર માટે ફાયદાકારક છે ડુંગળી

આરોગ્યની દ્રષ્ટિએ ડુંગળીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલા છે. ગરમીમાં ડુંગળીનું સેવન કરવાથી લૂ સામે બચી શકાય છે. ડુંગળીના રસનું સેવન કરવાથી શરીરમાં જે પણ કોલસ્ટ્રોલ જમા થયો હોય છે તે ઓછો કરી શકાય છે. ડુંગળી હૃદયની સાથે સાથે હાડકાં માટે પણ ખૂબ જ લાભકારી છે. ડુંગળીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ યોગ્ય પ્રકારે થાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow