મોરપંખ સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાય કરશે નેગેટિવિટી દૂર, આર્થિક સ્થિતિમાં પણ આવશે સુધાર

મોરપંખ સાથે જોડાયેલા આ વાસ્તુ ઉપાય કરશે નેગેટિવિટી દૂર, આર્થિક સ્થિતિમાં પણ આવશે સુધાર

ઘરની સજાવટ કરતી વખતે અથવા અન્ય કોઈ ઉપાય માટે લોકો મોટાભાગે ઘરોમાં મોર પીંછા મૂકે છે. હિંદુ ધર્મમાં મોરના પીંછાને અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણને મોરપંખ ખૂબ જ પસંદ હતું. તેથી જ તેઓ હંમેશા તેને પોતાના માથા પર પહેરતા હતા. મોરના પીંછા માત્ર શ્રી કૃષ્ણને જ નહીં પરંતુ ગણેશ, કાર્તિકેય, માતા સરસ્વતી, ઈન્દ્રદેવને ખૂબ પ્રીય છે.

બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પીંછાનું બીજુ પણ ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે મોર પંખ વાળા લોકોના ઘરમાં ક્યારેય નકારાત્મકતા નથી રહેતી. તો આવો જાણીએ મોરના પીંછાથી સંબંધિત કેટલાક સરળ અને ચમત્કારી વાસ્તુ ઉપાય વિશે જેને અનુસરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે છે.  

ઘરના મુખ્ય દરવાજા પર લગાવો મોરપંખ
જો તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા કે કોઈ ખરાબ શક્તિ છે તો વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજાની આસપાસ મોરના પીંછા લગાવો.  

એવું માનવામાં આવે છે કે તેના શુભ પ્રભાવથી ઘરની અંદર કોઈ અશુભ શક્તિ પ્રવેશ કરી શકતી નથી. એવું માનવામાં આવે છે કે તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે.

મંદિરમાં રાખો મોરપંખ
જેમ ભગવાન શ્રી કૃષ્ણને મોર પંખ ખૂબ જ પ્રિય છે, તેવી જ રીતે માતા લક્ષ્મીને પણ તે ખૂબ જ પ્રિય છે.  

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં મોર પંખ રાખીને તેની રોજ પૂજા કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારૂ ધન ભંડાર હંમેશા ભરેલુ રહે છે.  

બેડરૂમમાં રાખો મોર પંખ
દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે મોર પંખ પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમને અથવા તમારા જીવનસાથીને કોઈની ખરાબ નજર લાગી હોય તો મોરના પીંછાથી સંબંધિત જ્યોતિષીય ઉપાય અવશ્ય કરો. આ માટે તમારા બેડરૂમમાં મોર પંખ અને વાંસળીને સાથે રાખો. માનવામાં આવે છે કે આનાથી ચમત્કારિક ફેરફારો જોવા મળશે.

કેશ બોક્સમાં મુકો મોર પંખ
જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા લાખ પ્રયત્નો કરવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નથી થઈ રહ્યો તો કેશ બોક્સને ઘરની દક્ષિણ દિશામાં રાખો અને તેમાં મોરનું પીંછું રાખો. વાસ્તુ અનુસાર આનાથી તમને ખૂબ જ ફાયદાકારક પરિણામ મળશે.  

બાળકને પહેરાવો મોર પંખની તાવીજ
જો તમારા ઘરમાં કોઈ નાના બાળકને વારંવાર નજર લાગે છે તો તેનાથી બચાવવા માટે તમે એક મોર પંખને ચાંદીના તાવીજમાં મુકી તેને પહેરાવો. એવું માનવામાં આવે છે કે આના કારણે બાળકને ક્યારેય નજર દોષ નહીં લાગે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow