આ વખતે હીરાબા વગર 17 સપ્ટેમ્બરની સવાર PM માટે ખાલીપો લઈને આવશે

આ વખતે હીરાબા વગર 17 સપ્ટેમ્બરની સવાર PM માટે ખાલીપો લઈને આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 2022ના વર્ષમાં 100મા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે નરેન્દ્રભાઈએ ખાસ બ્લોગ લખેલો. એમાં તેમણે લખ્યું હતું- 'કોઈપણ માતાનું તપ એક સારા મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી. માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે.'

17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી 72 વર્ષના થશે. જન્મદિવસ હોય ને મોદી ગુજરાતમાં તેમનાં માતા હીરાબાને વંદન કરવા ન આવે એવું બન્યું નથી. એકાદવાર કોરોનાકાળમાં તેઓ આવી શક્યા નહોતા. આ વર્ષની 17 સપ્ટેમ્બરની સવાર નરેન્દ્ર મોદી માટે ખાલીપો લઈને આવશે. તેમણે ગ્લોબલ લીડર્સ વચ્ચે ભારતમાતાનું મસ્તક ઉન્નત કર્યું, પણ પોતાનાં માતાને ગુમાવ્યાનો વસવસો ચોક્કસ હશે. જન્મદાત્રી હીરાબા વગર નરેન્દ્રભાઈનો આ પહેલો જન્મદિવસ હશે, પણ આપણે સ્મૃતિઓને મમળાવીને એવા પ્રસંગો પર નજર કરીએ, જ્યારે નરેન્દ્ર મોદી ગાંધીનગર તેમનાં માતા હીરાબાને મળવા આવતા હતા...

PM મોદી હીરાબાના 100મા જન્મદિવસે વહેલી સવારે 6.30 વાગ્યે ગાંધીનગર સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદીએ માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી. માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ મેળવ્યા હતા. મોદી પોતાનાં માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow