સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

તો માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી

આમ તો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને ત્યારે વાંચવામાં આવે છે, જ્યારે કોઈનુ મૃત્યુ થાય છે, પરંતુ તેમાં માનવ જીવનને લઇને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. આ વાતો પર જો અમલ કરવામાં આવે તો તે માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી.

પહેલાના જન્મોના પાપ બળી જાય છે

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગરૂડ પુરાણ મુજબ, જે માણસ પૂરી વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તો તેને પહેલાના જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે, આ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ પણ મળે છે.

તુલસીના પાનનુ સેવન કરો

હિન્દુ ધર્મમાં તુલસીને શુભ છોડ માનવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પછી આ પાનનુ સેવન કરો. જેનાથી માણસ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે, જે સફળતા અપાવવા માટે અત્યંત જરૂરી છે.

માણસે સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ જોઈએ

ગરૂડ પુરાણ મુજબ, માં લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પસંદ છે. એવામાં માણસે જીવનમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દરરોજ સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરો. જ્યાં ગંદકી છે ત્યાં માં લક્ષ્મી વાસ કરતી નથી.

નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ

ગરૂડ પુરાણ મુજબ, કોઈ પણ નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ જોઈએ. નકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવામાં આવેલુ કાર્ય અસફળ થવાની આશંકા રહે છે. તો એવા મિત્રો અથવા લોકોથી દૂર રહો જેને તમારી પ્રગતિથી ઝેર આવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow