સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

સફળતા મેળવવા માટે છુપાયેલા છે ગરૂડ પુરાણમાં આ રહસ્ય, જાણ્યા બાદ થશે ધનવર્ષા

તો માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી

આમ તો હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને ત્યારે વાંચવામાં આવે છે, જ્યારે કોઈનુ મૃત્યુ થાય છે, પરંતુ તેમાં માનવ જીવનને લઇને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. આ વાતો પર જો અમલ કરવામાં આવે તો તે માણસને સફળ થતા કોઈ રોકી શકતુ નથી.

પહેલાના જન્મોના પાપ બળી જાય છે

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ઘણુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. ગરૂડ પુરાણ મુજબ, જે માણસ પૂરી વિધિપૂર્વક એકાદશીનુ વ્રત કરે છે તો તેને પહેલાના જન્મોના પાપમાંથી મુક્તિ મળે છે, આ સાથે સફળતા પ્રાપ્ત કરવા માટે મદદ પણ મળે છે.

તુલસીના પાનનુ સેવન કરો

હિન્દુ ધર્મમાં તુલસીને શુભ છોડ માનવામાં આવ્યો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. એવામાં દરરોજ સવારે ઉઠીને તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પછી આ પાનનુ સેવન કરો. જેનાથી માણસ શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે, જે સફળતા અપાવવા માટે અત્યંત જરૂરી છે.

માણસે સ્વચ્છતાનુ ધ્યાન રાખવુ જોઈએ

ગરૂડ પુરાણ મુજબ, માં લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પસંદ છે. એવામાં માણસે જીવનમાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. દરરોજ સ્નાન કરો અને ત્યારબાદ સ્વચ્છ કપડા પહેરો. જ્યાં ગંદકી છે ત્યાં માં લક્ષ્મી વાસ કરતી નથી.

નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ

ગરૂડ પુરાણ મુજબ, કોઈ પણ નવા કાર્યને સકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવુ જોઈએ. નકારાત્મક વિચારધારાની સાથે શરૂ કરવામાં આવેલુ કાર્ય અસફળ થવાની આશંકા રહે છે. તો એવા મિત્રો અથવા લોકોથી દૂર રહો જેને તમારી પ્રગતિથી ઝેર આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow