રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી

રશિયાની આ ભુરીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી

દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ઘણા કિસ્સાઓ સાંભળીને આપણે હચમચી જતા હોય એ છીએ. ત્યારે આજે આપણે એક તેવા જ કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક રશિયાની યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકીને હિન્દુ યુવક સાથે સગાઈ કરી લીધી છે. જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

તો ચાલો જાણીએ રશિયાની યુવતીએ શા માટે પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો. આ રશિયાની યુવતીની બે કહાનીઓ છે. જેમાંથી પહેલી કહાનીની વાત કરીએ તો તેનો મુસ્લિમ પતિ તેને વારંવાર ઇસ્લામ કબુલ કરવા માટે દબાણ કરતો હતો. જેનાથી કંટાળીને યુવતીએ પોતાના મુસ્લિમ પતિને મૂકી દીધો હતો. પોતાના પતિથી અલગ થયા બાદ રશિયાની યુવતી ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત બની ગઈ હતી.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિના કારણે રશિયાની યુવતી પોતાના મુસ્લિમ પતિ સાથે છૂટાછેડા પણ કરી લીધા હતા. રશિયાની યુવતીને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિની એવી લગની લાગી કે તે પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં રહેવા માટે આવી ગઈ. અહીં યુવતી ને એક ભારતીય યુવક સાથે પ્રેમ થઈ ગયો અને ત્યારબાદ બંને સગાઈ પણ કરી લીધી છે.

હાલમાં બંનેની સગાઈ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. રશિયા થી ભારત આવેલી યુવતીનું નામ સ્વેત્લાના ઓચિલોવા છે અને તે એક ગ્રાફિક્સ ડિઝાઈનર છે. તેણીએ સૌપ્રથમ એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક પુત્ર પણ છે. પરંતુ લગ્ન બાદ સ્વેત્લાના ઓચિલોવાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ લાગી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર વર્ષ 2012માં તે પ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોને મળી હતી અને ત્યારબાદ તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનો રંગ લાગી ગયો હતો. જેના કારણે તેને પોતાના પતિ સાથે ઝઘડો પણ થવા લાગ્યો હતો. તેને પોતાના પહેલા પતિ વિશે વાત કરતા જણાવ્યું કે, તે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી નફરત કરતો હતો. આટલું જ નહીં પરંતુ ભગવાનના ભક્તોને મળવાથી પણ રોકતો હતો અને ઘણી વખત મારી ધુલાઈ પણ કરતો હતો.

તે મને ઇસ્લામ સ્વીકારવા માટે સતત દબાણ કરતો હતો. પતિ સાથે થતા અવારનવાર ઝઘડાઓના કારણે સ્વેત્લાના ઓચિલોવા કંટાળી ગયા અને તેને પોતાના પતિનું ઘર મૂકી દીધું હતું. ત્યારબાદ તે પોતાના માતા પિતા સાથે રહેવા લાગી હતી. 2016માં તેને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના માર્ગે આગળ જવાનું નક્કી કર્યું હતું અને એક વર્ષ સુધી તે પોતાના પતિથી અલગ રહી હતી.



Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow