કબજિયાતથી લઇને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવશે આ 'જીરા વોટર', જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

કબજિયાતથી લઇને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવશે આ 'જીરા વોટર', જાણો તેને બનાવવાની રીત અને ફાયદા

જીરું આપણા ભારતીય જમવામાં ઉપયોગમાં લેવાતો એક જૂનો મસાલો છે. વઘારમાં જીરું આવે તો વાનગીની મજા બેવડાઈ જાય છે. આ જીરું માત્ર જમવાના સ્વાદને નથી વધારતું, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. દરેક લોકોના રસોડામાં જીરું સરળતાથી મળી રહે છે. જીરું આપણા આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જીરુંનો વઘાર જે શાકમાં કરવામાં આવે છે એનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. જીરુંની સુગંધ પણ બહુ મસ્ત આવે છે.

રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાની સલાહ
જો તમે જીરાનું સેવન દરરોજ કરો છો તો પેટને લગતી અનેક સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે. આ માટે જરૂરી છે કે જીરાનું યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે સેવન કરવું તો તમે પણ જાણો કે જીરું સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરે છે. જીરામાં રહેલાં એન્ટિઓક્સિડેન્ટ અને અન્ય ન્યૂટ્રિઅન્ટ્સ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે અને ઘણી સમસ્યાઓથી પણ બચાવે છે. ટોચના ડાયટિશિયન રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાની સલાહ આપે છે. છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીઝ જીરા વોટરના ફાયદાનો વીડિયો શેર કરે છે. જીરા વોટર કેવી રીતે બનાવવું અને તેનાથી કયા ફાયદા થાય તે જાણો.

જીરા વોટર બનાવવાની રીત સમજી લો
રાતે એક ચમચી જીરુંને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી દો. સવારે ઊઠીને આ પાણી ગાળીને પી લો. જો રાતે તમે જીરું પલાળવાનું ભૂલી ગયાં હો તો સવારે પણ તમે જીરા વોટર બનાવી શકો છો. આ માટે એક ચમચી જીરુંને ગરમ પાણીમાં નાખી દો અને તેને પાંચ-દસ મિનિટ સુધી ઉકાળો. હવે તેને અડધા કલાક ઠંડું થવા છોડી દો. તેને ગાળીને ધીમે ધીમે પીઓ. એ વાતનું ધ્યાન રાખો કે આ પાણી ખાલી પેટે જ પીઓ. તમે તેમાં સ્વાદ મુજબ લીંબુનો રસ કે મધ મિક્સ કરી શકો છો.

જીરા વોટરના આ જોરદાર ફાયદા જાણોઃ
- જીરા વોટર નિયમિત પીવાથી વજન ઘટશે, સાથે-સાથે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળશે. જો તમે રોજ જીરાનું પાણી પીઓ છો તો વર્ષોજૂની કબ‌િજયાતની સમસ્યામાંથી પણ તમને રાહત મળે છે. આ માટે તમે રોજ રાતે એક ગ્લાસમાં એક ચમચી જીરું નાખો અને પછી તેમાં પાણી ઉમેરો. ત્યાર બાદ આ પાણી સવારમાં પી લો. આ પાણી તમારે આખી રાત મૂકી રાખવું અને સવારમાં તે પી લેવું.  


- સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાથી એસિડિટી, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો, ગેસ જેવી હઠીલી પરેશાનીઓથી પણ છુટકારો મળે છે.
- રોજ જીરું અને તજનું પાણી પીવાથી ત્વચા ગ્લોઇંગ બનશે. આ ઉપરાંત ત્વચા પર પડી રહેલી કરચલીઓ ઘટશે. જીરામાં રહેલાં તત્ત્વો તમારા ચહેરા પરના ખીલને દૂર કરવાનું કામ પણ કરે છે. જીરામાં એ‌િન્ટ-બેક્ટે‌િરયલ ગુણ હોય છે, જે ત્વચાની અનેક ગંભીર સમસ્યાઓને દૂર કરવાની તાકાત પણ ધરાવે છે.
- જીરું એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરેલું છે, તેના પાણીના સેવનથી શરદી અને તાવ દૂર રહેશે.
- જીરું ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તેથી વર્કઆઉટ કરતાં પહેલાં જીરા વોટર પીઓ, તેનાથી બોડી લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહેશે.
- પ્રેગ્નન્સી દરમિયાન ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં જીરા વોટર તે તમામ સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે.

આટલું ખાસ ધ્યાનમાં રાખો:
- જો તમે આખા દિવસમાં બે ચમચી કરતાં વધુ જીરાનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે હાનિકારક બની શકે છે.
- જીરાનું વધુ પડતું સેવન બ્લડ શુગર ઘટાડે છે
- બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ જીરા વોટરનું સેવન ન કરે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow