ડાયાબિટીસમાં રાહત પંહોચાડશે આ ફળની ચા, દરેક ચૂસકીમાં મળે છે અનેક ફાયદા

ડાયાબિટીસમાં રાહત પંહોચાડશે આ ફળની ચા, દરેક ચૂસકીમાં મળે છે અનેક ફાયદા

ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે.  પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.

આમળા એક એવું સુપર ફૂડ છે જેમાં આયર્ન, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફૉસ્ફરસ, ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પંહોચાડે છે. આમળાને આયુર્વેદનો ખજાનો કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે.  

આમળામાં એક એન્ટિ ડાયાબિટિક પ્રોપર્ટી મળી રહે છે જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. સાથે જ આમળામાં વિટામિન સી મળી રહે છે એટલા માટે એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફૂડ છે. આ સિવાય આમળામાં ક્રોમિયમ નામનું મિનરલ હોય છે જે ગ્લુકોજ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે આમળાને ચા પીવી જોઈએ. આમળાની ચા કોઈ રામબાણ ઈલાજથી ઓછી નથી. જો કે કાચા આમળા, કે મીઠા સાથે કે પાઉડરની જેમ પીસીને કે આમળાનું જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે.  

આમળાની ચા બનાવવાની રીત
- સૌથી પહેલા એક વાસણમાં 2 કપ પાણી નાખો અને ઉકાળો
- હવે તેમાં એક ચમચી આમળાનો પાઉડર નાખો અને સાથે જ ક્રશ કરેલ આદું પણ નાખો
- હવે તેમાં ફૂદીનાના પાંદડા નાખો અને થોડી મિનિટ માટે ઉકાળો
- એ પછી ચા બનાવીને કપમાં સર્વ કરો અને પી જાઓ
-તમે દિવસમાં બે વખત આવી ચા પી શકો છો

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow