દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

ગત 25મી જાન્યુઆરીની રાત અમે જીવનભર ભૂલી નહીં શકીએ. રાત્રે 10ઃ30 વાગે ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પૂછ્યું કે, તમે રમેશજી બોલો છો, મેં હા પાડી. તેમણે પોતાને દિલ્હીના અધિકારી ગણાવતા કહ્યું કે ‘તમારું અને તમારી પત્ની શાંતિનું નામ પદ્મશ્રી માટે પસંદ કરાયું છે, પરંતુ આ કોઈને કહેતા નહીં.’ પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરે છે. થોડા સમય પછી સ્થાનિક અધિકારીના ફોન પણ આવ્યા, પછી ખબર પડી કે, આ તો હકીકત છે.

આ શબ્દો છે ઝાબુઆના રાતી તલાઈના રહેવાસી પરમાર દંપતિ રમેશ અને તેમના પત્ની શાંતિના. રમેશ પરમાર કહે છે, ‘એ દિવસે અમે મોડી રાત સુધી ઊંઘી ના શક્યા. બીજા દિવસે 26 જાન્યુઆરીએ અમારું પણ સન્માન કરાયું.’

પરમાર દંપતિની આ સફર સરળ નહોતી. શાંતિ કહે છે, ‘પતિએ હોમગાર્ડની નોકરી ગુમાવી દીધી. ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. 1993માં ઝાબુઆમાં જ આદિવાસી ઢીંગલી બનાવવાની તાલીમ લીધી. છ મહિનામાં કામ શીખી લીધું, પણ ઢીંગલી બનાવવાની સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. તેમના કપડાં સહિત અન્ય વસ્તુ મોંઘી હતી. પછી અમે દરજીઓ પાસેથી દોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાપડના કતરણો ખરીદતા અને તેમાંથી ઢીંગલી બનાવીને શહેરના બજારમાં વેચીને ગુજરાન ચલાવતા.’

આ દરમિયાન રમેશ પરમાર પણ તે કામમાં જોડાઇ ગયા અને નિષ્ણાત બની ગયા. પછી તો આ દંપતિએ શહેરોમાં પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow