દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

ગત 25મી જાન્યુઆરીની રાત અમે જીવનભર ભૂલી નહીં શકીએ. રાત્રે 10ઃ30 વાગે ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પૂછ્યું કે, તમે રમેશજી બોલો છો, મેં હા પાડી. તેમણે પોતાને દિલ્હીના અધિકારી ગણાવતા કહ્યું કે ‘તમારું અને તમારી પત્ની શાંતિનું નામ પદ્મશ્રી માટે પસંદ કરાયું છે, પરંતુ આ કોઈને કહેતા નહીં.’ પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરે છે. થોડા સમય પછી સ્થાનિક અધિકારીના ફોન પણ આવ્યા, પછી ખબર પડી કે, આ તો હકીકત છે.

આ શબ્દો છે ઝાબુઆના રાતી તલાઈના રહેવાસી પરમાર દંપતિ રમેશ અને તેમના પત્ની શાંતિના. રમેશ પરમાર કહે છે, ‘એ દિવસે અમે મોડી રાત સુધી ઊંઘી ના શક્યા. બીજા દિવસે 26 જાન્યુઆરીએ અમારું પણ સન્માન કરાયું.’

પરમાર દંપતિની આ સફર સરળ નહોતી. શાંતિ કહે છે, ‘પતિએ હોમગાર્ડની નોકરી ગુમાવી દીધી. ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. 1993માં ઝાબુઆમાં જ આદિવાસી ઢીંગલી બનાવવાની તાલીમ લીધી. છ મહિનામાં કામ શીખી લીધું, પણ ઢીંગલી બનાવવાની સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. તેમના કપડાં સહિત અન્ય વસ્તુ મોંઘી હતી. પછી અમે દરજીઓ પાસેથી દોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાપડના કતરણો ખરીદતા અને તેમાંથી ઢીંગલી બનાવીને શહેરના બજારમાં વેચીને ગુજરાન ચલાવતા.’

આ દરમિયાન રમેશ પરમાર પણ તે કામમાં જોડાઇ ગયા અને નિષ્ણાત બની ગયા. પછી તો આ દંપતિએ શહેરોમાં પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow