દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

દરજી પાસેથી કતરણ ખરીદીને ઢીંગલીઓ બનાવી, જેણે આ દંપતીને પદ્મશ્રી અપાવ્યો

ગત 25મી જાન્યુઆરીની રાત અમે જીવનભર ભૂલી નહીં શકીએ. રાત્રે 10ઃ30 વાગે ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ પૂછ્યું કે, તમે રમેશજી બોલો છો, મેં હા પાડી. તેમણે પોતાને દિલ્હીના અધિકારી ગણાવતા કહ્યું કે ‘તમારું અને તમારી પત્ની શાંતિનું નામ પદ્મશ્રી માટે પસંદ કરાયું છે, પરંતુ આ કોઈને કહેતા નહીં.’ પહેલા મને લાગ્યું કે કોઈ મજાક કરે છે. થોડા સમય પછી સ્થાનિક અધિકારીના ફોન પણ આવ્યા, પછી ખબર પડી કે, આ તો હકીકત છે.

આ શબ્દો છે ઝાબુઆના રાતી તલાઈના રહેવાસી પરમાર દંપતિ રમેશ અને તેમના પત્ની શાંતિના. રમેશ પરમાર કહે છે, ‘એ દિવસે અમે મોડી રાત સુધી ઊંઘી ના શક્યા. બીજા દિવસે 26 જાન્યુઆરીએ અમારું પણ સન્માન કરાયું.’

પરમાર દંપતિની આ સફર સરળ નહોતી. શાંતિ કહે છે, ‘પતિએ હોમગાર્ડની નોકરી ગુમાવી દીધી. ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. 1993માં ઝાબુઆમાં જ આદિવાસી ઢીંગલી બનાવવાની તાલીમ લીધી. છ મહિનામાં કામ શીખી લીધું, પણ ઢીંગલી બનાવવાની સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. તેમના કપડાં સહિત અન્ય વસ્તુ મોંઘી હતી. પછી અમે દરજીઓ પાસેથી દોઢ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાપડના કતરણો ખરીદતા અને તેમાંથી ઢીંગલી બનાવીને શહેરના બજારમાં વેચીને ગુજરાન ચલાવતા.’

આ દરમિયાન રમેશ પરમાર પણ તે કામમાં જોડાઇ ગયા અને નિષ્ણાત બની ગયા. પછી તો આ દંપતિએ શહેરોમાં પ્રદર્શનોમાં જવાનું શરૂ કર્યું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow