તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે ગુલાબના ફૂલના આ ત્રણ ઉપાય, નોકરી-વેપારમાં થશે ઉન્નતિ

ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે

આપણે પોતાના ઘરની અંદર અને બહાર અવાર-નવાર અલગ-અલગ પ્રકારના છોડ લગાવીએ છીએ. આ છોડ ઘરમાં હરિયાળી તો લાવે છે પરંતુ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ વધારે છે.

વાસ્તુ શાસ્ત્રમાં ગુલાબના ફૂલ અંગે ઘણી મહત્વની વાતો જણાવવામાં આવી છે. વાસ્તુ મુજબ ગુલાબનુ ફૂલ ભાગ્ય અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે. જે લોકોના બનતા કામ બગડી જતા હોય છે,

તેઓ જો ગુલાબના ફૂલના ઉપાય કરી લે તો જીવનને સરળ બનાવવામાં વધુ સરળતા પડે છે. આજે અમે ગુલાબ સાથે જોડાયેલા અમુક વિશેષ ઉપાયો અંગે તમને જણાવીએ છીએ.  

ગુલાબના ફૂલના ઉપાય

મનોકામના પૂર્ણ કરવા માટે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટથી બચવા માટે શનિવારે મંદિરમાં જઇને હનુમાનજીને ચોલા, સિંદૂર અને તેલ અર્પણ કરો. આ સાથે તેમને ગુલાબના ફૂલોની માળા પહેરાવીને મગના લાડુનો ભોગ ધરાવો.

સતત 7 શનિવાર સુધી આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

સુખ-સમૃદ્ધી માટે ઉપાય

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યાં છે તો શુક્રવારના દિવસે મંદિરમાં જઇને માં લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો.

સતત 11 શુક્રવાર સુધી આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધવા લાગે છે અને નોકરી-વેપારમાં પ્રગતિ થાય છે. આ સાથે પરિવારમાં પણ એકતા વધે છે.  

ઉતરી જાય છે વધેલુ દેવુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની ઉપર દેવુ થયુ છે તો તે ગુલાબના ફૂલના ઉપાય કરીને તેમાંથી મુક્તિ મેળવી શકે છે.  

જેના માટે તમે આરતીના સમયે ગુલાબના ફૂલની ઉપર કપૂર રાખીને પ્રગટાવી દો અને બાદમાં આ ફૂલને માં લક્ષ્મીને અર્પણ કરો. કહેવામાં આવે છે કે આ ઉપાયને કરવાથી ધીરે-ધીરે દેવાનો બોઝ ઓછો થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow