આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આમળા એક એવુ ફૂડ છે જે દરેક ઋતુમાં ખાઈ શકાય છે. બીજી તરફ આમળાને સ્વાદ, સ્વાસ્થ્યથી સમૃદ્ધ માનવામાં આવે છે. આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે આમળાનું સેવન મોટાભાગના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળામાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા ગુણો હોય છે.

પરંતુ આમળા કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જી હા, કેટલાક લોકો માટે આમળાનું સેવન ફાયદાકારક નહીં પરંતુ નુકસાન કારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?

આ લોકોએ ન કરવું જોઈએ આમળાનું સેવન
લો બ્લડ સુગર
લો બ્લડ સુગર ધરાવતા દર્દીઓએ આમળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. આવું એટલા માટે  કારણ કે આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે લો બ્લડ શુગરના દર્દી છો તો આમળાનું સેવન કરવાનું ટાળો.

એસિડિટી
જો તમે એસિડિટીની ફરિયાદ છે તો તમારે આમળાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમળામાં વિટામિન સીની માત્રા મળી આવે છે જે હાઈપર એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટીની ફરિયાદ છે. તો આમળાનું સેવન કરવાની ભૂલ ના કરશો.

સર્જરી
જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય તો થોડા દિવસો સુધી આમળાનું સેવન ટાળો. આ એટલા માટે છે કારણ કે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. તેથી તમારે આમળાનું સેવન ટાળવું જોઈએ.

ડિહાઈડ્રેશન
જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો આમળાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow