આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આમળા એક એવુ ફૂડ છે જે દરેક ઋતુમાં ખાઈ શકાય છે. બીજી તરફ આમળાને સ્વાદ, સ્વાસ્થ્યથી સમૃદ્ધ માનવામાં આવે છે. આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે આમળાનું સેવન મોટાભાગના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળામાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા ગુણો હોય છે.

પરંતુ આમળા કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જી હા, કેટલાક લોકો માટે આમળાનું સેવન ફાયદાકારક નહીં પરંતુ નુકસાન કારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?

આ લોકોએ ન કરવું જોઈએ આમળાનું સેવન
લો બ્લડ સુગર
લો બ્લડ સુગર ધરાવતા દર્દીઓએ આમળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. આવું એટલા માટે  કારણ કે આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે લો બ્લડ શુગરના દર્દી છો તો આમળાનું સેવન કરવાનું ટાળો.

એસિડિટી
જો તમે એસિડિટીની ફરિયાદ છે તો તમારે આમળાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમળામાં વિટામિન સીની માત્રા મળી આવે છે જે હાઈપર એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટીની ફરિયાદ છે. તો આમળાનું સેવન કરવાની ભૂલ ના કરશો.

સર્જરી
જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય તો થોડા દિવસો સુધી આમળાનું સેવન ટાળો. આ એટલા માટે છે કારણ કે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. તેથી તમારે આમળાનું સેવન ટાળવું જોઈએ.

ડિહાઈડ્રેશન
જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો આમળાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow