આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આમળા એક એવુ ફૂડ છે જે દરેક ઋતુમાં ખાઈ શકાય છે. બીજી તરફ આમળાને સ્વાદ, સ્વાસ્થ્યથી સમૃદ્ધ માનવામાં આવે છે. આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે આમળાનું સેવન મોટાભાગના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળામાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા ગુણો હોય છે.

પરંતુ આમળા કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જી હા, કેટલાક લોકો માટે આમળાનું સેવન ફાયદાકારક નહીં પરંતુ નુકસાન કારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?

આ લોકોએ ન કરવું જોઈએ આમળાનું સેવન
લો બ્લડ સુગર
લો બ્લડ સુગર ધરાવતા દર્દીઓએ આમળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. આવું એટલા માટે  કારણ કે આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે લો બ્લડ શુગરના દર્દી છો તો આમળાનું સેવન કરવાનું ટાળો.

એસિડિટી
જો તમે એસિડિટીની ફરિયાદ છે તો તમારે આમળાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમળામાં વિટામિન સીની માત્રા મળી આવે છે જે હાઈપર એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટીની ફરિયાદ છે. તો આમળાનું સેવન કરવાની ભૂલ ના કરશો.

સર્જરી
જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય તો થોડા દિવસો સુધી આમળાનું સેવન ટાળો. આ એટલા માટે છે કારણ કે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. તેથી તમારે આમળાનું સેવન ટાળવું જોઈએ.

ડિહાઈડ્રેશન
જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો આમળાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow