આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આમળા, ફાયદાની જગ્યા પર થઈ શકે છે ગંભીર નુકસાન

આમળા એક એવુ ફૂડ છે જે દરેક ઋતુમાં ખાઈ શકાય છે. બીજી તરફ આમળાને સ્વાદ, સ્વાસ્થ્યથી સમૃદ્ધ માનવામાં આવે છે. આમળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જો કે આમળાનું સેવન મોટાભાગના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળામાં વિટામિન એ, વિટામિન બી, પોટેશિયમ, કેલ્શિયમ અને ફાઇબર જેવા ગુણો હોય છે.

પરંતુ આમળા કેટલાક લોકોને નુકસાન પહોંચાડી શકે છે. જી હા, કેટલાક લોકો માટે આમળાનું સેવન ફાયદાકારક નહીં પરંતુ નુકસાન કારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે કયા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ?

આ લોકોએ ન કરવું જોઈએ આમળાનું સેવન
લો બ્લડ સુગર
લો બ્લડ સુગર ધરાવતા દર્દીઓએ આમળાનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. આવું એટલા માટે  કારણ કે આમળા બ્લડ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં જો તમે લો બ્લડ શુગરના દર્દી છો તો આમળાનું સેવન કરવાનું ટાળો.

એસિડિટી
જો તમે એસિડિટીની ફરિયાદ છે તો તમારે આમળાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. આમળામાં વિટામિન સીની માત્રા મળી આવે છે જે હાઈપર એસિડિટીની સમસ્યામાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં જો તમને પણ એસિડિટીની ફરિયાદ છે. તો આમળાનું સેવન કરવાની ભૂલ ના કરશો.

સર્જરી
જો તમે કોઈપણ પ્રકારની સર્જરી કરાવી હોય તો થોડા દિવસો સુધી આમળાનું સેવન ટાળો. આ એટલા માટે છે કારણ કે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. તેથી તમારે આમળાનું સેવન ટાળવું જોઈએ.

ડિહાઈડ્રેશન
જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો આમળાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે આમ કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા વધી શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow