શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

શિયાળામાં સ્વાસ્થ્ય માટે આ ફ્રુટ્સ છે રામબાણ, આજથી જ ડાયેટમાં સામેલ કરો, રહેશો બીમારીથી મુક્ત

ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ શિયાળામાં ઉધરસ, શરદી અને તાવ જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે અને એવામાં આવી બીમારીથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ આવી બીમારીઓ બચવા માટે ખાવા-પીવામાં વધુ કાળજી લેવાની જરૂર છે. શિયાળામાં શરદીથી બચવા માટે અમુક ફળોનું સેવન કરવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને એ ફળોના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આજે અમે તમને શિયાળામાં કયા ફળોને ડાયટમાં સામેલ કરવા એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નાસપતી - શિયાળાની ઋતુમાં નાસપતી ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. શિયાળાના આ ફળમાં વિટામિન ઇ અને વિટામિન સી હોય છે સાથે જ આ ફળ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. નાસપતી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.

સફરજન- સફરજનનું સેવન પાચન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ સાથે જ સફરજન કબજિયાત અને અપચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જણાવી દઈએ કે રોજ એક સફરજનનું સેવન કરવાથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહો છો.

જામફળ- શિયાળામાં કે ઠંડીની ઋતુમાં જામફળનું સેવન કરવું ઘણું લાભદાયક છે. જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે જ જામફળના સેવનથી શરદી અને ફ્લૂની સમસ્યામાં પણ રાહત મળે છે.

દાડમ - દાડમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં આવે છે. સાથે જ તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. શિયાળામાં દાડમના રસનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow