મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

મફતમાં ક્યારેય ન લેવી જોઈએ મીઠું-સોય સહિત આ ચાર વસ્તુઓ, ઘરમાં આવે છે દરિદ્રતા

આ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો

પાડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માંગવી કોઈ ખરાબ વાત નથી. સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ.

મીઠુ- વાસ્તુ મુજબ મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે. કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ. જો તમારે કોઈ કારણોસર કોઈની પાસેથી મીઠુ લેવુ પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ. મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ અને દેવાની સમસ્યા પણ વધી જાય છે.

સોય- વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ. મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે. આ તમારા દામ્પત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે-સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે. સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો.

રૂમાલ- આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ. એવુ કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઇને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે. આંતરિક કલહ વધે છે. લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે. તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં.

લોખંડ અને તેલ- આ બંને વસ્તુઓને શનિ દેવ સાથે જોડવામાં આવે છે. એવુ કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે. દાનમાં લીધેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow