google પર સૌથી વધારે સર્ચ થઇ આ બીમારીઓ અને નુસખા

google પર સૌથી વધારે સર્ચ થઇ આ બીમારીઓ અને નુસખા

કોરોનાથી બચવા માટે લોકોએ અનેક સવાલ ગુગલને કર્યા

ગુગલ આપણી નાનીથી લઇને મોટી સમસ્યાઓનો ઉકેલ છે. જ્યારે પણ આપણને કોઈ સવાલનો જવાબ જોઇએ છીએ ત્યારે આપણે ગુગલનો સહારો લઈએ છીએ. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગુગલને બધી ખબર છે તો કોરોના કાળમાાં પણ જ્યારે લોકો પ્રતિબંધમાં હતા ત્યારે લોકો ઈન્ટરનેટનો જ સહારો લેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે કોરોનાથી બચવા માટે લોકોએ અનેક સવાલ ગુગલ પર સર્ચ કર્યા.

ગુગલમાં આ વર્ષે સર્ચ કરવામાં આવેલી આ બિમારીઓના નુસખા

ઑક્સિજન વધારવાના નુસખા: કોરોનાકાળ દરમ્યાન ઓક્સિજનની કમીને કારણે લોકોનો જીવ જતો હતો. એવા સમયે લોકોએ સર્ચ એન્જિન ગુગલ પર ઓક્સિજન વધારવાના તમામ નુસખા સર્ચ કર્યા.

તાવના નુસખા: કોરોના સમયે લોકોએ તાવને લઇને પણ ખૂબ સર્ચ કર્યુ. ઉલ્લેખનીય છે કે લોકોએ તાવમાંથી સાજા થવા માટે ઘણા પ્રકારના ઘરેલુ નુસખાને સર્ચ કર્યા.

ઈમ્યુનિટી: કોરોના સમયે ઈમ્યુનિટી પર સૌથી વધારે ભાર હતો. આ દરમ્યાન લોકોએ ઈમ્યુનિટી વધારનારા ઉકાળાને પણ ગુગલ પર ખૂબ સર્ચ કર્યા. કોરોના દરમ્યાન ઈમ્યુનિટી વધારીને બચાવ કરવો વધુ સરળ રહ્યો.

ગળાની ખરાશ: ગળામાં કોઈ પણ પ્રકારની ખરાશ હોવી પણ ડૉકટર્સને કોરોનાના લક્ષણોમાં માનવામાં આવતી હતી. કોરોના દરમ્યાન લોકો ખરાશ અને ખાંસી જેવી સમસ્યા સામે લડી રહ્યાં હતા. તો તેનાથી બચવાના ઘરગથ્થુ નુસખા અંગે સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યું.

દૂધ અને હળદર: હળદર ઈમ્યુનિટી વધારવા અને શરદી-ઉધરસ અને હાર્ટમાં જામેલા કફમાંથી છૂટકારો અપાવવામાં કારગત છે. તેમાં anti-inflammatory ગુણ હોય છે, જે ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે.

તુલસીનુ પાણી: કોરોના દરમ્યાન તુલસીનુ પાણી પણ વધુ સર્ચ કરવામાં આવ્યું હતુ. તુલસીને હુંફાળા પાણીમાં ઉકાળીને તેનુ સેવન કરવાથી તેનાથી ઉધરસની સમસ્યા સારી થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow