આ ૪ પુરુષોએ સ્ત્રીઓથી હંમેશા દુર જ રહેવું જોઈએ, જીવન બરબાદ થઈ જાય છે

આચાર્ય ચાણક્ય એ પુરુષોને અત્યંત ક્રુર, વિષયાગ્નિ વાળી અને ભ્રમ ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીઓથી દુર રહેવા વિશે કહેવામાં આવેલ છે. પરંતુ વાસનાની જાળમાં ફસાયેલા પુરુષ માટે આવી સ્ત્રીઓથી દુર રહેવું અશક્ય હોય છે. જ્યાં સુધી આવા વ્યક્તિને સ્ત્રીના દર્શન નથી થતા ત્યાં સુધી તે સ્ત્રીઓને જોવા માટે આતુર રહે છે. સ્ત્રીઓને જોવાની ઈચ્છાથી તે પોતાની આંખો ચારોતરફ ફેરવતા રહે છે અને જ્યારે તેમને તે સ્ત્રી દેખાય છે તો તેને આલિંગન આપવા વિશે વિચાર કરવા લાગે છે અને વળી નસીબને લીધે તે સ્ત્રીને પોતાના ગળે લગાવી લેતા હોય છે, તો તે સ્ત્રીને ક્યારેય પણ છોડવા માંગતા નથી.
એટલા માટે એક નીચ વ્યક્તિને કોઈપણ સ્થાન ઉપર રાખવામાં આવે પછી તે સ્વર્ગ હોય કે નર્ક તે હંમેશા સ્ત્રીઓની કામાગ્નિ રૂપી પ્રચંડ જ્વાળામાં બળવા માટે હંમેશા તત્પર રહે છે. આવા પુરુષો યોગ્ય રીતે વિદ્યા ગ્રહણ કરી શકતા નથી અને પોતાના માતા પિતાની સેવા પણ કરી શકતા નથી. તેઓ ફક્ત ચંચળ, મોટી આંખો વાળી સુંદર સ્ત્રીઓ, જેને તેને પોતાના સપનામાં પણ ગળે લગાવેલ ન હોય, પરંતુ દુરથી જ જોઈને તેને મેળવવાનો લોભ કરીને નકામો સમય પસાર કરે છે અને આવા પુરુષોને જ્યારે તે સ્ત્રીની પ્રાપ્તિ થાય છે તો તેઓ પોતાના માતા પિતાની સેવા કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકતા નથી અને આવા પુરુષો ધન પણ કમાઈ શકતા નથી.
આવા પુરુષો પોતાની બુદ્ધિથી જ પોતાનો વિનાશ કરી લેતા હોય છે. કારણ કે કામદેવનો પ્રભાવ અત્યંત કષ્ટકારક હોય છે. એટલા માટે આવા પુરુષોએ પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખીને પુણ્ય કર્મ કરવા જોઈએ, નહીંતર આવા પુરુષોનો વિનાશ પણ ખુબ જ જલ્દી થઈ જાય છે. આચાર્ય ચાણક્ય એ પોતાની નીતિમાં ત્રણ એવા પુરુષોનું વર્ણન કરેલ છે, જેમના માટે સ્ત્રી ઝેર સમાન છે. આવા પુરુષોએ સ્ત્રીનો સહવાસ કરવો જોઈએ નહીં, નહીંતર તે સ્ત્રી તેમનો વિનાશ કરી નાખે છે.
નિર્ધન વ્યક્તિ
ચાણક્ય અનુસાર નિર્ધન અને ગરીબ વ્યક્તિએ સ્ત્રીને મેળવવાની ઈચ્છા ક્યારેય પણ રાખવી જોઈએ નહીં. નિર્ધન વ્યક્તિ સ્ત્રીની ઈચ્છાઓની પુર્તિ કરી શકતા નથી. જેથી આવા પુરુષોની નીચ પત્ની ધન મેળવવા માટે બીજા પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવવા લાગે છે. જ્યાં સુધી કોઈ પુરુષ યોગ્ય ધન સંપત્તિ કમાવવામાં સક્ષમ ન થઈ જાય, ત્યાં સુધી તેને સ્ત્રીની ઈચ્છા રાખવી જોઈએ નહીં, નહીંતર તેણે જીવનભર દુઃખ અને અપમાન નો સામનો કરવો પડે છે.
વૃદ્ધ વ્યક્તિ
આચાર્ય ચાણક્ય કહે છે કે એક વૃદ્ધ પુરુષ માટે યુવાન સ્ત્રી ઝેર સમાન હોય છે. વૃદ્ધ પુરુષ યુવાન સ્ત્રીની કામગીરીને શાંત કરી શકતા નથી. તેઓમાં જો તેઓ પૈસાના દમ ઉપર કોઈ યુવાન સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તેવામાં તેની પત્ની તેના સેવક અથવા તેના સગા સંબંધીઓ સાથે શારીરિક સંબંધ બનાવીને પથ ભ્રષ્ટ થઈ શકે છે. એટલા માટે વૃદ્ધ પુરુષોએ પોતાનું જીવન ફક્ત ઈશ્વરની ભક્તિમાં લગાવવું જોઈએ. તેમણે સ્ત્રીનો મોહ ત્યાગ કરવો વધારે યોગ્ય હોય છે.
નપુંસક વ્યક્તિ
જો પુરુષ નપુંસક છે, તો તેને કોઈપણ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ નહીં. નપુંસક માટે સ્ત્રી ઝેર સમાન હોય છે, તે પોતાની પત્નીને સંતુષ્ટ કરી શકતા નથી. તેમનું અને તે સ્ત્રીનું જીવન બરબાદ થઈ જાય છે. એટલા માટે નપુંસક પુરુષે ક્યારેય પણ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ નહીં.
બુદ્ધિમાન પુરુષ
આચાર્ય ચાણક્ય કહે છે કે એક બુદ્ધિશાળી પુરુષે ક્યારેય પણ ક્રુર અને દુષ્ટ સ્વભાવ વાળી સ્ત્રીને પ્રેમ કરવો જોઈએ નહીં, નહીંતર તે સ્ત્રી તે વ્યક્તિની બુદ્ધિ ઉપર ગ્રહણ લગાવી દેતી હોય છે અને તેનું જીવન નષ્ટ કરી નાખે છે. એક દુષ્ટ સ્ત્રી બુદ્ધિશાળી પુરુષોની ઊર્જાને નષ્ટ કરવાવાળી અને ધનનો નાશ કરવા વાળી હોય છે. એટલા માટે દુષ્ટ સ્ત્રીઓથી દુર રહેવું યોગ્ય હોય છે.