મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત મળવાના અણસાર છે. દેશ-દુનિયાના બેન્કિંગ નિષ્ણાતો અને નાણાકીય સંસ્થાઓના મતે ભારતમાં રિટેલ મોંઘવારી દર 6% કરતા નીચે રહેશે.

બીજી તરફ આર્થિક વિકાસદર થોડો ઘટવાની આશંકા છે. દરમિયાન RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. જેને કારણે લોન સસ્તી થશે. RBIએ રેપોરેટ 6.50% પર યથાવત્ રાખ્યા છે, જે વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. SBI ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, RBIના તાજેતરના નિર્ણય પહેલા આશંકા હતી કે ઉચ્ચ વ્યાજદરો લાંબા સમય સુધી યથાવત્ રહેશે. પરંતુ હવે આશા છે કે આગામી કેટલાક મહિના દરમિયાન વ્યાજદરોમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં કાપનો સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહેશે. જો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉદ્દભવશે તો તેની અસર ભારત પર પણ જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વ્યાજદરોમાં વધુ ઘટાડાની સંભાવના છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow