મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત મળવાના અણસાર છે. દેશ-દુનિયાના બેન્કિંગ નિષ્ણાતો અને નાણાકીય સંસ્થાઓના મતે ભારતમાં રિટેલ મોંઘવારી દર 6% કરતા નીચે રહેશે.

બીજી તરફ આર્થિક વિકાસદર થોડો ઘટવાની આશંકા છે. દરમિયાન RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. જેને કારણે લોન સસ્તી થશે. RBIએ રેપોરેટ 6.50% પર યથાવત્ રાખ્યા છે, જે વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. SBI ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, RBIના તાજેતરના નિર્ણય પહેલા આશંકા હતી કે ઉચ્ચ વ્યાજદરો લાંબા સમય સુધી યથાવત્ રહેશે. પરંતુ હવે આશા છે કે આગામી કેટલાક મહિના દરમિયાન વ્યાજદરોમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં કાપનો સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહેશે. જો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉદ્દભવશે તો તેની અસર ભારત પર પણ જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વ્યાજદરોમાં વધુ ઘટાડાની સંભાવના છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow