Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

Gujaratnow1 min read
મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત મળવાના અણસાર છે. દેશ-દુનિયાના બેન્કિંગ નિષ્ણાતો અને નાણાકીય સંસ્થાઓના મતે ભારતમાં રિટેલ મોંઘવારી દર 6% કરતા નીચે રહેશે.

બીજી તરફ આર્થિક વિકાસદર થોડો ઘટવાની આશંકા છે. દરમિયાન RBI રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. જેને કારણે લોન સસ્તી થશે. RBIએ રેપોરેટ 6.50% પર યથાવત્ રાખ્યા છે, જે વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે છે. SBI ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, RBIના તાજેતરના નિર્ણય પહેલા આશંકા હતી કે ઉચ્ચ વ્યાજદરો લાંબા સમય સુધી યથાવત્ રહેશે. પરંતુ હવે આશા છે કે આગામી કેટલાક મહિના દરમિયાન વ્યાજદરોમાં ઘટાડો થશે અને વ્યાજદરોમાં કાપનો સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહેશે. જો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉદ્દભવશે તો તેની અસર ભારત પર પણ જોવા મળશે. જેને ધ્યાનમાં રાખીને વ્યાજદરોમાં વધુ ઘટાડાની સંભાવના છે.

Gujaratnow1 min read

Related News