નહીં પડે ચલણી નોટોની તંગી ! નોટબંધી બાદ ડબલ થયો રોકડનો પ્રવાહ, RBIનો રાહતનો ખુલાસો

નહીં પડે ચલણી નોટોની તંગી ! નોટબંધી બાદ ડબલ થયો રોકડનો પ્રવાહ, RBIનો રાહતનો ખુલાસો

સૂત્રો અનુસાર RBIએ એક ડેટા જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2016ની નોટબંધી બાદથી ભારતીય માર્કેટમાં રોકડ કેશનો પ્રવાહ ડબલ એટલે કે બેગણો થયો છે. એનો અર્થ એ થાય છે કે બજારમાં ચલણી નોટોની ઓછપ પડશે નહીં. રોકડ પૈસાનો પ્રવાહ આશરે 2 ગણો વધ્યો છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ડેવેલોપ થયાં છતાં પણ આજે લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે.

નોટબંધીનાં 6 વર્ષ બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડનો પ્રવાહ બેગણો થઇ ગયો છે. નાણા મંત્રાલયે આજે સંસદને જણાવ્યું કે આ વર્ષ માર્ચમાં કુલ રોકડનું મૂલ્ય 2016ની સરખામણીમાં 89% વધીને 31,05,721 કરોડ રૂપિયા થયું છે.

2022માં રોકડનું પ્રચલન 44% વધ્યું
મંત્રાલય દ્વારા આજે લોકસભામાં આ અંગે માહિતી આપવામાં આવેલ આંકડાઓ અનુસાર માર્ચ 2022માં નોટોનાં પ્રચલનની સંખ્યાનાં સંદર્ભમાં રોકડ 44% વધીને 1,30,533 મિલિયન થઇ ગયેલ છે. મંત્રાલયે પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે 2016માં રોકડ રૂપિયાનું મૂલ્ય16,41,571 કરોડથી 20% જેટલું ઘટીને 2017માં 13,10,193 કરોડ રૂપિયા થઇ ગયું હતું. જો કે 2018થી તમામ વર્ષોમાં આંકડાઓમાં વૃદ્ધિ જ જોવા મળી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow