Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

ભારતને જડમૂળથી ઉખેડવાના ઘણા પ્રયાસો થયા : મોદી

Gujaratnow1 min read
ભારતને જડમૂળથી ઉખેડવાના ઘણા પ્રયાસો થયા : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટમાં તુલસીપીઠ ખાતેની સભામાં કહ્યું, 'એક હજાર વર્ષની ગુલામીના સમયગાળા દરમિયાન ભારતને જડમૂળથી ઉખેડી નાખવાના અનેક પ્રયાસો થયા. આપણે આઝાદ તો થયા, પણ ગુલામીની માનસિકતા ગઈ નથી, તેઓએ સંસ્કૃત પ્રત્યે વેર ભાવ ચાલુ રાખ્યો.

શુક્રવારે તેમણે કહ્યું, 'જો લોકો બીજા દેશની માતૃભાષા જાણતા હોય તો તેઓ તેની પ્રશંસા કરશે, પરંતુ તેઓ સંસ્કૃત ભાષા જાણવી એ પછાતપણાની નિશાની માને છે. આ માનસિકતા ધરાવતા લોકો છેલ્લા એક હજાર વર્ષથી હારી રહ્યા છે અને ભવિષ્યમાં પણ સફળ થશે નહીં. સંસ્કૃત એ પરંપરાની ભાષા નથી, તે આપણી પ્રગતિ અને ઓળખની ભાષા છે. સંસ્કૃત સમયની સાથે શુદ્ધ થઈ ગઈ પણ પ્રદૂષિત થઈ નથી.

PMએ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજને કહ્યું, 'જે રામ મંદિર માટે તમે કોર્ટથી લઈને કોર્ટની બહાર યોગદાન આપ્યું તે પણ તૈયાર થવા જઈ રહ્યું છે.' જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે પીએમ પાસે રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ બનાવવાની માંગ કરી હતી. આ પહેલા પીએમ જગદગુરુનો હાથ પકડીને મંચ પર લઈ ગયા. રામભદ્રાચાર્ય પીએમ મોદીને ભેટી પડ્યા હતા.

Gujaratnow1 min read

Related News