અફઘાનમાં તાલિબાનની સત્તા પૂર્વે 300 મહિલા જજ હતી, હવે શૂન્ય

અફઘાનમાં તાલિબાનની સત્તા પૂર્વે 300 મહિલા જજ હતી, હવે શૂન્ય

અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન મહિલાઓના અધિકારોનું બર્બરતાપૂર્વક દમન કરી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટમાં તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદથી જ શિક્ષણ, નોકરીઓ અને તેમની અવર-જવર પર પ્રતિબંધ મૂકીને મહિલાઓને ઘરોમાં કેદ કરવા માટે નિયમોમાં ફેરફાર શરૂ કરી દીધા હતા. દુનિયાને બતાવવા માટે પોતાના નિર્ણયો લાગુ કરવા તેણે મૌલવીઓની મદદ લીધી હતી.

મહિલાઓની સરકારી અને ખાનગી નોકરીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. આગળ વધતી રોકવા તાલિબાની સુરક્ષાદળોએ મહિલાઓને ડરાવી, ધમકાવી, કસ્ટડીમાં લેવાથી લઈને અપહરણ પણ કર્યાં. અફઘાનિસ્તાનની મહિલા અધિકાર કાર્યકર ખદીજા અહેમદીએ કહ્યું કે તાલિબાને મહિલાઓને જજ કે વકીલ તરીકે કોર્ટમાં કામ કરતા અટકાવી દીધી છે. સત્તા પચાવી પાડતા પહેલાં અફઘાનમાં લગભગ 300 મહિલા જજ હતી. તાલિબાનને કારણે આ બધાએ દેશ છોડવો પડ્યો.

ખદીજા કહે છે કે તાલિબાનનું વલણ મહિલાઓવિરોધી જ રહ્યું છે. તાલિબાન મહિલાઓને દ્વિતીય દરજ્જાના નાગરિક તરીકે સ્થાપિત કરવા માગે છે. ખાસ કરીને યુવા પુરુષો અને છોકરાઓને વર્ચસ્વવાદી અને મહિલાઓને ઘર અને પોતાના કામમાં ઉપયોગની વસ્તુ બનાવી દેવા માગે છે. પ્રતિબંધોને કારણે હજારો પરિવાર મહિલાઓને લઈને પાકિસ્તાન, ઈરાન અને તૂર્કી જેવા પાડોશી દેશોમાં જતા રહ્યા છે. પાકિસ્તાન એ દેશોમાં ટોચે છે જ્યાં તાજેતરના મહિનાઓમાં મોટી સંખ્યામાં અફઘાની શરણાર્થી પહોંચ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે પાકિસ્તાનમાં ભણી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow