લંડનમાં બેબી અરિહાને ભારત પરત મોકલવાની માગ ઉઠી

લંડનમાં બેબી અરિહાને ભારત પરત મોકલવાની માગ ઉઠી

લંડનમાં બુધવારે બેબી અરિહા શાહને ભારત પરત લાવવાની માગ કરવા માટે ભારતીય સમુદાય એકત્ર થયો હતો. આ દરમિયાન જર્મન સરકાર અરિહાને પરત મોકલે તેવી માગ ઉઠી હતી. વડાપ્રધાન મોદીને પણ અરિહાને પરત મોકલવા માટે દબાણ લાવવા માટે અપીલ કરી છે. અરિહાના માતા-પિતા જર્મનીમાં રહેતા હતા, જ્યાં એક દિવસ અરિહાને ઈજા પહોંચી હતી. જર્મનીના કાયદા અનુસાર માતા-પિતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને અરિહાને કેર હોમમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારથી અરિહાના માતા-પિતા તેને ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લંડનમાં ભારતીય સમુદાયના સભ્યો બેબી અરિહાને ભારત પરત લાવવાની માગ કરવા માટે એકઠા થયા હતા. સમાચાર એજન્સી ANI પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ભારતીય સમુદાય ખાસ કરીને બાળકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેબી અરિહા શાહ, જે હાલમાં જર્મન રાજ્ય સેવાની કસ્ટડીમાં છે. તેના ભારતીય માતાપિતા સાથે પુનઃમિલન કરવામાં મદદ કરવા અપીલ કરતા જોઈ શકાય છે.

ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયા અને સારી નોકરી કરવા લાગ્યા. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. દંપતીનું પ્લાનિંગ તો એવું હતું કે ચારેક વર્ષ અહીં રહેવું અને પછી ફરી ભારત પરત ફરવું, પણ એક દિવસ આ સુખને જાણે કુદરતની નજર લાગી ગઇ. એક દિવસ એવું બન્યુ કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળુંફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. હવે દંપતી સાથે શરૂ થાય છે એક છેલ્લી પાયરીનો ખેલ. ડોક્ટરે તપાસ કરીને ફોલોઅપ માટે આવવા જણાવ્યું.. ડોક્ટરે આપેલી તારીખે દંપતી ફોલોઅપ માટે ગયું. અરિહાની ચકાસણી બાદ હૉસ્પિટલના સર્જને કહ્યું હતું કે દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અરિહાને લઈને હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ડૉક્ટરે અરિહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow