વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

વસોના ઝારોલ પાટિયા પર હાઇવે પર બ્રિજ કે સર્વિસ રોડની સુવિધા ન હોઇ ગ્રામજનોને ભારે હાલાકી

નેશનલ હાઇવે નંબર-48ને છ માર્ગીય સુપર હાઇવે બનાવવામાં આવ્યો છે. આ હાઇવે પરના ગામના પાટિયા પર બ્રિજ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. ત્યારે વસો તાલુકાના ઝારોલ પાટિયા નજીક હાઈવે પર બ્રિજ કે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેથી ગ્રામજનોને જાનનું જોખમ ખેડી રોંગ સાઈડ એ અવર-જવર કરવી પડતી હોઇ ભારે હાલાકી વેઠવી પડે છે. અમદાવાદથી વડોદરા તરફના નેશનલ હાઇવે નંબર-48 પર ઓવરબ્રિજ તેમજ અન્ડરબ્રીજની બાજુમાં નજીકના ગામ શહેર જવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવા મજબૂર
નાના મોટા વાહનો નોન સ્ટોપ પસાર થવામાં સરલતા રહે છે. નડીયાદ થી ખેડા તરફના હાઇવે પર ડભાણ, દાવડા, છઠ્ઠામાઈલ રધવાનજ ચોકડી પર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બ્રિજની બંને બાજુ નજીકના ગામ કે શહેર જવા સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી છે. પરંતુ નેશનલ હાઇવેના સત્તાધીશો દ્વારા વસો તાલુકાના ઝારોલ ગામના પાટિયા પર ઓવરબ્રિજ કે અંડર બ્રિજ બનાવવામાં આવ્યો નથી. આમ ઝારોલના ગ્રામજનોને અવર જવર માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો ન હોય વાહનચાલકોને દાવડા કે છઠ્ઠા માઈલથી રોંગ સાઈડ પર થઈ જાનના જોખમે અવર-જવર કરવી પડે છે.

ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા
આ ઉપરાંત શાળા કોલેજ કે ધંધા રોજગાર અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ મુસાફરોને એસટી બસ સુવિધા મેળવવા માટે બે કિ.મી ચાલીને દાવડા કે છઠ્ઠા માઈલના સ્ટેન્ડ પર જવું પડે છે. ઘણી વખત રોંગ સાઇડ પરથી પસાર થતાં ગ્રામજનો અકસ્માતનો ભોગ પણ બનતા હોઇ છે.આ ઉપરાંત આગ અકસ્માત જેવા પ્રસંગે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહન માટે ઝારોલ ગામમાં જવાની સમસ્યા સર્જાય છે. આમ હાઇવે ઓથોરીટીના સત્તાધીશોના અણધડ આયોજનના કારણે ઝારોલના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સત્તાધિશો દ્વારા ઝારોલના ગ્રામજનોને સર્વિસ રોડ,બ્રિજના અભાવે પડતી મુશ્કેલીનું નિવારણ કરવા માંગણી ઉઠવા પામી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow