Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

ગોલ્ડ ટ્રેડિંગ કેસમાં સીઆઇડીને તપાસ સોંપાય તેવી શક્યતા વધી

Gujaratnow2 min read
ગોલ્ડ ટ્રેડિંગ કેસમાં સીઆઇડીને તપાસ સોંપાય તેવી શક્યતા વધી

ભરૂચના નિવૃત્ત શખ્સને ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને ઠગાઇ કરનાર ટોળકીના 6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં છે. ત્યારે તપાસના પ્રથમ ચરણમાં ટીમે ભેજાબાજોએ 30 કરોડ અને બીજા ચરણમાં 120 કરોડ મળી કુલ 150 કરોડથી વધુની રકમની હેરાફેરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતાં તેઓને હાલમાં સબજેલમાં ધકેલી દેવાયાં છે. જોકે, સાયબર ક્રાઇમની ટીમની તપાસ હજી ચાલી રહી છે.

6 સાગરિતોને ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યાં
દેશના અન્ય રાજ્યોમાં પણ ટોળકીએ લોકોને ઠગ્યા હોવાનુ પ્રાથમિક તબક્કે જણાયું છે. ત્યારે સમગ્ર નેટવર્ક દુબઇમાં બેઠા બેઠા મુળ સુરતનો અનવર તેમજ તેનો સાથી મેક્સ ચલાવી રહ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ભેજાબાજો દ્વારા ગરીબ - શ્રમજીવીઓને ટાર્ગેટ કરી તેમને 25 હજારની લોન અપાવવાની લાલચે તેમના નામે બે-ત્રણ સિમકાર્ડ લેવા સાથે તેમના બેેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્કમાંથી મળતી એટીએમ, પાસબુક તથા ચેક સહિતની કિટ પણ લઇ લીધા બાદ તેમના એકાઉન્ટમાં ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતાં હતાં.

ગોલ્ડમાં ટ્રેડિંગ કરવાના બહાને છેતરેલાં લકોના કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન
ત્યારે બેન્કમાંથી માત્ર હેડ ઓફિસમાંથી જ વિગતો મળી શકે તેમ હોઇ ભરૂચ પોલીસ હાલમાં માત્ર પ્રથમ અને બીજા ચરણની તપાસમાં જ છે. ત્યાં ભેજાબાજો રૂપિયા કેવી રીતે ઉપાડી લેતાં હતાં. અંતિમ તબક્કો હજી જાણી શકાયો નથી. જેના પગલે મામલામાં હવે સીઆઇડીને તપાસ સોંપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

Gujaratnow2 min read

Related News