પૌરાણિક ગ્રંથોમાં 8 ભૈરવનનો છે ઉલ્લેખ

પૌરાણિક ગ્રંથોમાં 8 ભૈરવનનો છે ઉલ્લેખ

16 નવેમ્બરે રોજ કાલ ભૈરવ અષ્ટમી છે. આ દિવસે કાલ ભૈરવની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે. કાલ ભૈરવનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં છે. શિવ પુરાણ પ્રમાણે, કાલ ભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. વામન પુરાણ પ્રમાણે, ભગવાન શિવના રક્તમાંથી આઠ દિશામાં અલગ-અલગ રૂપમાં કાલ ભૈરવ પ્રગટ થયા હતાં. આ આઠમાં કાલ ભૈરવ ત્રીજા હતાં. કાલ ભૈરવ રોગ, ભય, સંકટ અને દુઃખના સ્વામી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તકલીફો દૂર થાય છે.

પુરાણોમાં 8 ભૈરવનો ઉલ્લેખ
સ્કંદ પુરાણના અવંતિ ખંડ પ્રમાણે ભગવાન ભૈરવના 8 રૂપ છે. તેમાં કાલ ભૈરવ ત્રીજું રૂપ છે. શિવ પુરાણ પ્રમાણે સાંજના સમયે રાતનું આગમન અને દિવસ પૂરો થાય છે ત્યારે પ્રદોષ કાળમાં શિવના રૌદ્ર રૂપમાંથી ભૈરવ પ્રગટ થયાં હતાં. ભૈરવમાંથી જ અન્ય 7 ભૈરવ પ્રગટ થયાં અને કર્મ તથા રૂપ પ્રમાણે નામ આપવામાં આવ્યાં.

આઠ ભૈરવના નામ

1.રુરુ ભૈરવ

2.સંહાર ભૈરવ

  1. કાલ ભૈરવ

4.અસિત ભૈરવ

ક્રોધ ભૈરવ

ભીષણ ભૈરવ

મહા ભૈરવ

ખટવાંગ ભૈરવ

કાલ ભૈરવની પૂજાથી બીમારીઓ દૂર થાય છે

ભૈરવનો અર્થ થાય છે, ભય હરનારો કે ભય જીતનારો. આથી કાલ ભૈરવની પૂજા કરવાથી મૃત્યુ અને દરેક પ્રકારના સંકટ દૂર થાય છે. નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાલ ભૈરવની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો કોઈ મુનષ્ય લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેની તકલીફ દૂર થાય છે. કાલ ભૈરવની પૂજા આખા દેશમાં અલગ-અલગ નામ અને પ્રકારે કરવામાં આવે છે. કાલ ભૈરવ ભગવાન શિવના પ્રમુખ ગણમાંના એક છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow