યુવકને અર્ધનગ્ન કરી બાવળિયા સાથે બાંધીને ફટકાર્યો અને પેશાબ પણ કર્યો

યુવકને અર્ધનગ્ન કરી બાવળિયા સાથે બાંધીને ફટકાર્યો અને પેશાબ પણ કર્યો

મોરવા(હ)ના વાડોદર ગામના યુવક, એક યુવતીને ભગાડી જતાં યુવકના મોટાભાઇને ગામના 15 જેટલા લોકોએ ઝાડ સાથે બાંધીને મારમારી તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. ભોગ બનનાર યુવકે 16 જણના નામ સહિત ટોળા સામે મોરવા(હ) પોલીસ મથકે અરજી આપતા ગુના ની તજવીજ હાથ ધરી હતી.

રમેશભાઇએ અરજીમાં જણાવ્યું કે, સરતનભાઇ, રાહુલ, બુધરભાઇ, ફતસિંહ, મહેન્દ્રભાઇ સહિત મહિલાઓનું ટોળું 4 દિવસ અગાઉ રમેશભાઇનો અન્ય ભાઇ રૂબીનભાઇને વંદેલી ગામે આંતરીને માર મારીને તારો ભાઇ અમારી દિકરીને લઇને ભાગી ગયો છે. તેને શોધીને પાછી આપો તો જ તારી બાઇક મળશે તેમ કહીને બાઇકની લૂટ કરી હતી. ત્યારબાદ ટોળું 17 મીના રોજ રમેશભાઇના ઘરે આવીને તોડફોડ કરી તુલસીનો કયારો પણ તોડી નાખ્યો હતો.

ટોળાંએ ગાયને પણ મારમારી હતી. ટોળાંએ રમેશભાઇ રાઠોડને ઉચકીને બાઇક પર બેસાડીને ગામના ભાથીજી મંદિરના બાવળીયાના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધો હતો. રમેશભાઇને મહિલા અને પુરુષના ટોળાંએ મારમારતા અર્ધબેભાન થઇ ગયા હતા.

બાદમાં ટોળાં રમેશભાઇને બાઇક પર બેસાડીને પોલીસ મથકે લઇ ગયા હતા. જયાં રમેશ ભાઇને પોલીસે જામીન આપીને છોડી મુકતાં 108 મારફતે દવાખાનામાં સારવાર કરાવી હતી. અરજીમાં રમેશભાઇએ જણાવ્યું કે, માથાભારે ટોળાએ નુકસાન કરીને મારી નાખવાની ધમકી આપી હોવાથી તમામ સામે કાર્યવાહી ની અરજ કરતાં . પોલીસે અરજીના આધારે ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow