યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી આપઘાત કર્યો

યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી આપઘાત કર્યો

રાજસ્થાનના ભરતપુરમાં એક યુવકે હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. યુવકના મોત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં એવું જોવા મળે છે કે તે પહેલા એક છોકરીને ગળે લગાવે છે, પછી તેના હાથને કિસ કરે છે. બન્ને લગભગ એક મિનિટ સુધી મળે છે. આ પછી તે યુવક છઠ્ઠા માળેથી કૂદી જાય છે. જોકે તેના પરિવારજનો કહી રહ્યા છે કે તેનું મોત પગ લપસી જવાથી થયું છે!

આ ઘટના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની RBM હોસ્પિટલનો સોમવાર રાતનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંદ્રપાલ (22)નામના યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે એક સંબંધીને મળવા હોસ્પિટલ ગયો હતો.

જ્યારે તે બારીમાંથી થૂંકતો હતો ત્યારે તેનો પગ લપસી ગયો હતો અને તેનું મોત થયું હતું. સંબંધીઓના આ દાવા પછી સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં ચંદ્રપાલ કૂદતો જોવા મળી રહ્યો છે.

પરિવારજનોએ જણાવ્યું હતું કે ચંદ્રપાલ ભરતપુરમાં એક આશ્રમમાં કામ કરતો હતો. સોમવારે સાંજે 8 વાગેની આસપાસ તે નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. આ પછી તે ઘરે પરત ફર્યો નહોતો. મંગળવારે મળેલા CCTVમાં જોવા મળે છે કે ચંદ્રપાલ સોમવારે મોડી રાત્રે લગભગ 2.39 વાગે RBM હોસ્પિટલના પાંચમા માળે ગયો હતો.

ત્યારે તે થોડીવાર રોકાયો હતો અને આ પછી તે હાથથી ઈશારા કરીને કોઈને બોલાવતો હતો. આ પછી, તે લગભગ 1 મિનિટ 16 સેકન્ડ સુધી આવી રીતે કોઈ સાથે વાત કરતો હતો. પરંતુ કોઈ તેને મળવા આવતું દેખાતું નથી.

2:41 વાગે લિફ્ટની બાજુમાંથી એક છોકરી આવી હતી. તે છોકરી તેની પાસે આવી હતી. અને આ પછી ચંદ્રપાલ છોકરીને ગળે લગાવી હતી. ગળે મળ્યા પછી, તેણે છોકરીના હાથને કિસ કરી હતી અને આ પછી તે છઠ્ઠા માળે જતો રહ્યો હતો.

છઠ્ઠા માળે પહોંચ્યા પછી, ચંદ્રપાલ ફરીથી રેલિંગ પાસે ઊભો રહ્યો હતો ફરી તે છોકરી સાથે વાત કરતો હતો. તેણે પછી તે છોકરીને હાથના ઈશારાથી બોલાવી હતી. આ પછી તેણે બારી ખોલી હતી. પછી થોડી સીડીઓ નીચે ઉતરીને છોકરીને જોયું હતું. પરંતુ તે છોકરી આવી નહોતી. ત્યારે તે ચંદ્રપાલ છઠ્ઠા માળેથી કૂદી જાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow