ફેસબુક લાઇવ કરીને યુવકે સુસાઇડ કર્યું!

ફેસબુક લાઇવ કરીને યુવકે સુસાઇડ કર્યું!

બિહારના નવાદામાં એક યુવકે ફેસબુક લાઇવ આવીને સુસાઇડ કરી લીધું હતું. એક યુવકે એક-એક કરીને સલ્ફાસની 5 ગોળી ખાઈ લીધી હતી. 10 મિનિટના આ વીડિયોમાં તે વ્યક્તિએ પોતાની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યો હતો, સાથે જ ગામના અમુક લોકો પર પણ આરોપો લગાવ્યા હતા. આ બન્નેને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

તે યુવકનો આરોપ છે કે પત્નીના અન્ય લોકો સાથે આડાસંબંધ હતા. ગામના મુખિયા અને ધાનુ ઠાકુર નામની વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે વ્યક્તિ આરોપ લગાવતાં-લગાવતાં સલ્ફાસની ગોળીઓ ખાઈ ગઈ છે. વ્યક્તિએ જણાવ્યું હતું કે ગામના લોકો તેને અને તેના પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એને કારણે તે સહન ના કરતાં તેણે આ પગલું ભરી લીધું હતું.

વ્યક્તિની ઓળખાણ વારિસલીગંજના ચકચાવ ગામના હરેરામના 35 વર્ષીય પુત્ર બબલુ રામ તરીકે થઈ છે. તે ટ્રકડ્રાઇવર હતો અને તેને ત્રણ બાળક પણ છે. ટ્રકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ બબલુના અંતિમસંસ્કાર મંગળવારે જ કરી દીધા હતા.

મરતાં પહેલાં બબલુએ ફેસબુકથી લાઇ આવીને પોતાનો વીડિયો વાઇરલ કર્યો હતો. આપઘાત કરનાર યુવકની માતાએ પોતાની વહુ પર લાગેલા આરોપોને નકારી દીધા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow