વર્ષ 2022 ભારતીય કંપનીઓ માટે હસ્તાંતરણનું વર્ષ રહ્યું

વર્ષ 2022 ભારતીય કંપનીઓ માટે હસ્તાંતરણનું વર્ષ રહ્યું

વર્ષ 2022 દરમિયાન વૈશ્વિક સ્તરે આર્થિક ચિત્ર ધૂંધળું રહ્યું હોવા છતાં ભારતના કોર્પોરેટ સેક્ટરમાં અનેક હસ્તાંતરણ જોવા મળ્યા હતા. સીમેન્ટ, રિટેલ, ફાર્માસ્યુટિકલ્સ અને ક્વિક કોમર્સ સેક્ટરને ઇન્ડસ્ટ્રીમાં પોતાની પકડને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય કારોબાર જગતે બે અગ્રણી લીડર્સ પણ ગુમાવ્યા હતા. જેમાં એક તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેમજ હાર્ટ અટેકને કારણે ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું મૃત્યુ થયું હતું. વર્ષ 2022માં હસ્તાંતરણની દૃષ્ટિએ સીમેન્ટ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હતી જ્યારે અદાણી જૂથે હોલ્સિમનું હસ્તાંતરણ કર્યું હતું જેમાં અંબુજા સીમેન્ટ અને ACC પણ સામેલ છે. અદાણી જૂથે સપ્ટેમ્બર દરમિયાન 6.4 અબજ ડોલરમાં અંબુજા સીમેન્ટ્સ અને ACCને હસ્તગત કરી હતી.

આ હસ્તાંતરણ સાથે અદાણી ગ્રૂપે સીમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કરતાં જ આદિત્ય બિરલા ગ્રૂપ ફર્મ અલ્ટ્રાટેક સીમેન્ટ બાદ બીજી સૌથી મોટી સીમેન્ટ કંપની બની હતી. અગાઉ અલ્ટ્રાટેક સીમેન્ટે માર્કેટમાં પકડ બનાવી રાખવા માટે રૂ.13,000 કરોડની વિસ્તરણ યોજનાની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં દેવા તળે દબાયેલા જેયપી ગ્રુપે રૂ.5,666 કરોડમાં તેના સીમેન્ટ બિઝનેસને દાલમિયા સીમેન્ટ (ભારત) લિમિટેડને વેચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ સીમેન્ટ સેગમેન્ટમાંથી JP ગ્રુપે એક્ઝિટ કરી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow