સવારે 9 વાગે નીકળનારી યાત્રા સાંજે 7 વાગે નિજ મંદિર પરત ફરશે

સવારે 9 વાગે નીકળનારી યાત્રા સાંજે 7 વાગે નિજ મંદિર પરત ફરશે

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું પર્વ ઉજવવામાં આવતું હોય છે. ગુજરાતના નાના-મોટા દરેક મંદિરમાં આ દિવસે ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં પરંપરા મુજબ અષાઢી બીજ પછી પુષ્ય નક્ષત્ર આવતું હોય તે દિવસે રથયાત્રા નીકળતી હોય છે. જ્યારે આ વર્ષે પુષ્ય નક્ષત્ર અષાઢી ત્રીજ એટલે કે 21 જૂનના દિવસે રથયાત્રા નીકળશે. આ રથયાત્રામાં ભગવાનને તમામ પ્રકારનો પારંપરિક વૈભવ ચઢાવવામાં આવશે, પરંતુ સતત પાંચમા વર્ષે ફરી એકવાર રણછોડરાય ગજરાજના વૈભવથી વંચિત રહેશે.

સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા ડાકોર શ્રી રણછોડજી મહારાજની ગણવામાં આવે છે. આઠ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં હજારો ભક્તો જોડાશે. આ રથયાત્રા સવારે 9 વાગે નિજ મંદિર માંથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધા કુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ સાંજે સાત વાગ્યાના અરસામાં નિજ મંદિરમાં પહોંચશે. નિજ મંદિરમાં પહોંચતા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજની નજર ઉતારવામાં આવશે.

આરતી કરી ગોપાલ લાલજી મહારાજને પરત નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ગોપાલ લાલજી મહારાજ અલગ અલગ સવારીમાં બિરાજમાન થશે. જેમાં એક ચાંદીનો રથ, એક પિત્તળનો રથ અને એક હાથીદાંત થી બનેલા રથ નો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે પાલખી અને ભગવાનની સોનાની ખુરશીનો પણ ઉપયોગ કરાશે. પરંપરા મુજબ વર્ષોથી આ રથયાત્રામાં ​​​​​​​હાથીની પણ સવારી નીકળતી હતી.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow