ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો. તે ઘણા ટુકડાઓમાં સેન્ટ જોન્સ પોર્ટ, કેનેડામાં લાવવામાં આવ્યો હતો. 18 જૂનના રોજ આ સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં 12000 ફૂટ નીચે ગઈ હતી. જે બાદ તે ગુમ થઈ ગઈ હતી. ચાર દિવસ બાદ 22 જૂને તેનો કાટમાળ ટાઇટેનિક જહાજથી 1600 મીટર દૂરથી મળી આવ્યો હતો. તેમાં 4 પ્રવાસીઓ અને એક પાયલોટ હતા.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું છે કે સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીબીસીના જણાવ્યા અનુસાર સબમરીનના કાટમાળમાંથી લેન્ડિંગ ફ્રેમ, રિયર કવર સહિત 5 ભાગો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે સબમરીનનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઈટેનિક જહાજ પાસે પડેલો છે. તેને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. સબમરીનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે તેમાં શા માટે વિસ્ફોટ થયો હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow