ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો. તે ઘણા ટુકડાઓમાં સેન્ટ જોન્સ પોર્ટ, કેનેડામાં લાવવામાં આવ્યો હતો. 18 જૂનના રોજ આ સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં 12000 ફૂટ નીચે ગઈ હતી. જે બાદ તે ગુમ થઈ ગઈ હતી. ચાર દિવસ બાદ 22 જૂને તેનો કાટમાળ ટાઇટેનિક જહાજથી 1600 મીટર દૂરથી મળી આવ્યો હતો. તેમાં 4 પ્રવાસીઓ અને એક પાયલોટ હતા.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું છે કે સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીબીસીના જણાવ્યા અનુસાર સબમરીનના કાટમાળમાંથી લેન્ડિંગ ફ્રેમ, રિયર કવર સહિત 5 ભાગો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે સબમરીનનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઈટેનિક જહાજ પાસે પડેલો છે. તેને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. સબમરીનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે તેમાં શા માટે વિસ્ફોટ થયો હતો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow