ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસ બાદ સમુદ્રમાંથી બહાર કાઢ્યો

ટાઇટેનિક જહાજનો કાટમાળ બતાવવા ગયેલી ટાઇટન સબમરીનનો કાટમાળ 6 દિવસે બુધવારે મળી આવ્યો હતો. તે ઘણા ટુકડાઓમાં સેન્ટ જોન્સ પોર્ટ, કેનેડામાં લાવવામાં આવ્યો હતો. 18 જૂનના રોજ આ સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં 12000 ફૂટ નીચે ગઈ હતી. જે બાદ તે ગુમ થઈ ગઈ હતી. ચાર દિવસ બાદ 22 જૂને તેનો કાટમાળ ટાઇટેનિક જહાજથી 1600 મીટર દૂરથી મળી આવ્યો હતો. તેમાં 4 પ્રવાસીઓ અને એક પાયલોટ હતા.

ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કહ્યું છે કે સબમરીનના કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોને મેડિકલ ટીમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીબીસીના જણાવ્યા અનુસાર સબમરીનના કાટમાળમાંથી લેન્ડિંગ ફ્રેમ, રિયર કવર સહિત 5 ભાગો મળી આવ્યા છે. કોસ્ટ ગાર્ડે કહ્યું કે સબમરીનનો મોટાભાગનો કાટમાળ હજુ પણ ટાઈટેનિક જહાજ પાસે પડેલો છે. તેને જલ્દીથી બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. સબમરીનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે તેમાં શા માટે વિસ્ફોટ થયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow