મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

લાગે છે કે પાકિસ્તાની મંત્રીઓ જ દેશનું નામ કરવા લાગ્યાં છે. થાય કંઈ નહીં તોય ભારતને છાસવારે પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે પરંતુ પાછા તરત ફરી પણ રહ્યાં છે. ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનાર શહબાઝ શરીફ સરકારના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલના તેમના નિવેદન પર પલટી મારી છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર શાઝિયા મર્રીએ હવે પાકિસ્તાનને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવ્યું છે. જો કે, તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે ખોટા નિવેદનનો સહારો લીધો છે. તેમણે ફરી એક વાર પોતાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતા વધારે બલિદાન આપ્યું છે.

પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ સ્ટેટ- મંત્રી મર્રી
મર્રીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ બલિદાન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે "પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે", તેમનું નિવેદન ભારતને "પરમાણુ બોમ્બ" ચેતવણી આપ્યાના એક દિવસ પછી આવ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ અગાઉ કહ્યું હતું કે, "ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

શાઝિયાએ ગઈકાલે શું કહ્યું હતું
પાકિસ્તાની મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલે બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણ કહ્યું કે અમા પરમાણુ શસ્ત્રો કંઈ ખામોશ રહેવા માટે નથી બનાવાયા. તેમના આ નિવેદન પર બબાલ મચી હતી.

બિલાવલ ભુટ્ટો પીએમ મોદી પર અત્યંત વાંધાજનક ટીપ્પણી કરી હતી
આ પહેલા બિલાવલ ભુટ્ટોએ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ જીવતો છે." આ ટિપ્પણીને ભારત દ્વારા આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે ગૌરવાન્વિત કરે છે અને જકીઉર રહેમાન લખવી, હાફિઝ સઇદ, મસૂદ અઝહર, સાજીદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow