મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

મહિલા મંત્રીએ જ પાકિસ્તાનની કરાવી નાખી મોટી ફજેતી, કાલે અણુબોંબની ધમકી આપી, આજે 'પાણીમાં બેઠા'

લાગે છે કે પાકિસ્તાની મંત્રીઓ જ દેશનું નામ કરવા લાગ્યાં છે. થાય કંઈ નહીં તોય ભારતને છાસવારે પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે પરંતુ પાછા તરત ફરી પણ રહ્યાં છે. ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનાર શહબાઝ શરીફ સરકારના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલના તેમના નિવેદન પર પલટી મારી છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનાર શાઝિયા મર્રીએ હવે પાકિસ્તાનને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવ્યું છે. જો કે, તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચવા માટે ખોટા નિવેદનનો સહારો લીધો છે. તેમણે ફરી એક વાર પોતાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતા વધારે બલિદાન આપ્યું છે.

પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ સ્ટેટ- મંત્રી મર્રી
મર્રીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ બલિદાન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે "પાકિસ્તાન એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે", તેમનું નિવેદન ભારતને "પરમાણુ બોમ્બ" ચેતવણી આપ્યાના એક દિવસ પછી આવ્યું છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ અગાઉ કહ્યું હતું કે, "ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.

શાઝિયાએ ગઈકાલે શું કહ્યું હતું
પાકિસ્તાની મંત્રી શાઝિયા મર્રીએ ગઈકાલે બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણ કહ્યું કે અમા પરમાણુ શસ્ત્રો કંઈ ખામોશ રહેવા માટે નથી બનાવાયા. તેમના આ નિવેદન પર બબાલ મચી હતી.

બિલાવલ ભુટ્ટો પીએમ મોદી પર અત્યંત વાંધાજનક ટીપ્પણી કરી હતી
આ પહેલા બિલાવલ ભુટ્ટોએ અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન તો મરી ગયો છે, પરંતુ ગુજરાતનો કસાઈ જીવતો છે." આ ટિપ્પણીને ભારત દ્વારા આકરા શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ભારતે કહ્યું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે ગૌરવાન્વિત કરે છે અને જકીઉર રહેમાન લખવી, હાફિઝ સઇદ, મસૂદ અઝહર, સાજીદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશ્રય આપે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow