રાજકોટની પરિણીતાએ મુંબઇ રહેતા પતિ, જામનગર રહેતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

રાજકોટની પરિણીતાએ મુંબઇ રહેતા પતિ, જામનગર રહેતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

શહેરના જામનગર રોડ, બજરંગવાડી-15માં માવતરે રહેતી નફીસા નામની પરિણીતાએ મુંબઇના અંધેરી ખાતે રહેતા પતિ જાવેદ, જામનગર દિગ્વિજય પ્લોટમાં રહેતા સસરા અબ્દુલસતાર અબ્દુલકરીમ હોત, સાસુ ફરીદાબેન, નણંદ સહેલા શાહિદભાઇ બ્લોચ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, તેના જાવેદ સાથે પંદર વર્ષ પહેલાં લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં દીકરો, દીકરી છે. જે બંને હાલ પતિ પાસે છે. લગ્ન બાદ પોતે જામનગર સાસરે ગઇ હતી. લગ્નના સાત વર્ષ બાદ પોતાને જાણવા મળ્યું કે, પતિ ક્રિકેટ સટ્ટો તેમજ જુગાર રમાડે છે.

દરમિયાન સટ્ટા અને જુગારમાં નાણાં હારી જતા પતિએ પિયરમાંથી રૂપિયા લઇ આવવા પોતાને દબાણ કર્યું હતું. જેથી પોતે પિયરથી નાણાં લઇ આવી પતિને આપતી હતી. આ સમયે સાસુ યેનકેન પ્રકારે પોતાની સાથે ઝઘડા કરી ત્રાસ આપતા અને પતિને ચડામણી કરી પોતાના દાંપત્યજીવનમાં તિરાડ પડાવતા હતા. ત્યારે એક વખત પતિ થાઇલેન્ડ ફરીને પરત આવ્યા હતા. આ સમયે પુત્ર પતિનો મોબાઇલ જોતો હતો ત્યારે પતિના અન્ય સ્ત્રીઓ સાથેના બીભત્સ ફોટા જોવા મળ્યા હતા. જેથી પુત્રે પોતાને ફોટા બતાવ્યા હતા. જે અંગે પતિને વાત કરતા આ બધું પહેલાનું છે કહી ઝઘડો કર્યો હતો.

પોતાના લગ્નના અઢી વર્ષ બાદ હત્યા કેસમાં અમદાવાદ જેલમાંથી બહાર આવેલા સસરા અને સાસુને પતિના કરતૂતની વાત કરતા તેમને પતિને સમજાવવાને બદલે પોતાની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું કે, મારો દીકરો તો આમ જ રહેશે, તારે રહેવું હોય તો રહે તેમ કહી કાઢી મૂકી હતી. જેથી પોતે પિયર આવી ગઇ હતી. આ સમયે નણંદ સંતાનોને પોતાના વિરુદ્ધ ચડામણી કરી તમારી મમ્મી તમારી નથી, તે તમને મૂકીને જતી રહી છે. સંતાનોને તેમજ દાંપત્યજીવન ન તૂટે તેને ધ્યાને રાખી અને પતિ સુધરી જશે તેમ માની પોતે ચાર મહિના બાદ સમાધાન કરી પરત સાસરે આવી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow