Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

અમેરિકા અને રશિયાના આર્થિક હિતના લીધે સુદાનમાં યુદ્ધ છેડાયું

Gujaratnow1 min read
અમેરિકા અને રશિયાના આર્થિક હિતના લીધે સુદાનમાં યુદ્ધ છેડાયું

આફ્રિકન દેશ સુદાન બે ટોચના સેનાપતિઓ વચ્ચે પ્રભાવની લડાઈમાં બે અઠવાડિયાથી હિંસામાં ઘેરાયેલો છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. સુદાનનું આ ગૃહયુદ્ધ પાડોશી દેશો માટે વ્યાપારીકરણની દ્રષ્ટિએ નુકસાનકારક છે. ઉપરાંત,અમેરિકા અને રશિયા જેવા દેશોના હિતોના કારણે આ સંઘર્ષ સર્જાયું હોવાનું માનવામાં આવે છે. રશિયા, ચીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના હિતો જોડાયેલા છે. આ લડાઈ રશિયા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેના વેગનર જૂથના આરએસએફની મદદથી સોનું કાઢવાની તેની યોજના અધૂરી રહી શકે છે. આ માટે UAEની કંપનીઓની સુદાનમાં પોર્ટ બનાવવાની યોજનાની સાથે ચીનની 6 અજબ ડોલર (50,000 કરોડ રૂપિયા)ની લોન પણ ફસાઈ છે.

229 વધુ ભારતીયો આવ્યા, 2700નું રેસ્કયૂ| રવિવારે સુદાનમાંથી 229 ભારતીયોને સુરક્ષિત કર્ણાટકના બેંગલુરુ ખાતે લવાયા હતા. બચાવાયેલા ભારતીયોની આ સાતમી બેચ છે. અત્યાર સુધીમાં 2700 લોકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે સવારે 365 ભારતીયો દિલ્હી પરત ફર્યા હતા.

Gujaratnow1 min read

Related News