12 વર્ષ બાદ ફિલ્મી પડદા પર આ દિગ્ગજ એક્ટરની થશે કમબૅક, મૂવીને 2023માં ડાયરેક્ટ OTT પર કરાશે રિલીઝ

12 વર્ષ બાદ ફિલ્મી પડદા પર આ દિગ્ગજ એક્ટરની થશે કમબૅક, મૂવીને 2023માં ડાયરેક્ટ OTT પર કરાશે રિલીઝ

ફરદીન ખાન મોટા પડદે કરી રહ્યાં છે વાપસી

બોલીવુડ અભિનેતા ફરદીન ખાને છેલ્લાં ઘણા વર્ષોથી ફિલ્મી પડદેથી અંતર બનાવ્યું છે. તો હવે તેઓ 12 વર્ષ બાદ ફરીથી મોટા પડદે વાપસી કરી રહ્યાં છે. ગયા વર્ષે રિતેશ દેશમુખની સાથે એક ફિલ્મમાં ફરદીનના કમબેકની જાહેરાત કરવામાં આવી હતી. પહેલા જ્યાં ફિલ્મને થિયેટરોમાં રીલીઝ કરવાની તૈયારી હતી તો હવે અહેવાલ છે  કે આ સીધી ઓટીટી પર આવશે. ફિલ્મને સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યાં છે.

ફરદીન ખાનની કમબેક ફિલ્મ સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરશે

મીડિયા રિપોર્ટસ મુજબ ફરદીન ખાન કૂકી ગુલાટીની ફિલ્મ વિસ્ફોટથી ફરીથી બોલીવુડમાં પોતાના કદમ માંડી રહ્યાં છે. સંજય ગુપ્તા દ્વારા નિર્મિત આ ફિલ્મને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રીલીઝ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ હાલમાં સંજય ગુપ્તાએ જણાવ્યું કે ફરદીન ખાનની કમબેક ફિલ્મ થિયેટરોમાં નહીં સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરશે. એક ઈન્ટરવ્યુમાં સંજય ગુપ્તાએ જણાવ્યું કે બૉક્સ ઑફિસની પરિસ્થિતિઓના કારણે 2023માં ફિલ્મને સીધી ઓટીટી પર જ રીલીઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.‌

ફરદીન ખાન એક કિડનેપરનુ પાત્ર નિભાવી રહ્યાં છે

વિસ્ફોટ 2012ની વેનેઝુએલાની ફિલ્મ રૉક, પેપર, કેંચીની સત્તાવાર રીમેક છે. રીપોર્ટસ મુજબ ફિલ્મમાં રિતેશ દેશમુખ એક પાયલટ અને ફરદીન ખાન એક કિડનેપરનુ પાત્ર નિભાવી રહ્યાં છે, જે રિતેશના પુત્રનુ અપહરણ કરી લે છે. તો એક ઈન્ટરવ્યુમાં ફરદીન ખાને જણાવ્યું હતુ કે તે ડોંગરીના એક યુવકની ભૂમિકા નિભાવી રહ્યાં છે. ફિલ્મનુ શુટિંગ દક્ષિણ મુંબઈ વિસ્તારમાં થયુ છે. આ ફિલ્મમાં ફરદીન અને રિતેશ સિવાય પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસૂજા, સીમા બાપટ અને શીબા ચડ્ઢાનો પણ સમાવેશ થાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow