રાજકોટમાં ગેંગરેપ આચરી 8 વર્ષની બાળકીની હત્યા કરનાર ત્રણેય નરાધમ 4 દી’ના રિમાન્ડ પર

રાજકોટમાં ગેંગરેપ આચરી 8 વર્ષની બાળકીની હત્યા કરનાર ત્રણેય નરાધમ 4 દી’ના રિમાન્ડ પર

શહેરના લક્ષ્મીનગર વિસ્તારની 8 વર્ષની બાળકીને અવાવરું સ્થળે લઇ જઇ તેના પર ત્રણ શખ્સે ગેંગરેપ આચર્યા બાદ ફૂલ જેવી બાળકીને પથ્થરના ઘા ઝીંકી તેનું મોઢું છૂંદી નાખી ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા બાદ ચાર દિવસના રિમાન્ડ પર લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લક્ષ્મીનગરમાં રહેતી આકાંક્ષા જગદીશભાઇ સોની નામની 8 વર્ષની બાળકીનું ગત તા.6ના સાંજે તેના ઘર નજીકથી અપહરણ થઇ ગયું હતું અને તા.7ના બપોરે ભક્તિનગર રેલવે સ્ટેશનના યાર્ડ પાછળ અવાવરું સ્થળેથી બાળકીની લાશ મળી આવી હતી.

માસૂમ આકાંક્ષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ થયાનો રિપોર્ટ આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને આરોપીઓને પકડવાની કવાયત શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણ આરોપી રાજસ્થાનના વતની ભરત કેશુ મીણા, ઉત્તરપ્રદેશના વતની અમરેશ ઉર્ફે બ્રિજેશ શંભુ કુલદીપ અને બિહારના વતની મિથિલેશ ઉર્ફે કાણિયો રામનારાયણ દાસને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેયની આગવીઢબે પૂછપરછ કરતાં ત્રણેય નરાધમે વારાફરતી બાળકી પર દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપી હતી અને બાળકીને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીની કબૂલાત પરથી આરોપીઓ સામે ગેંગરેપની કલમનો ઉમેરો કર્યો હતો. માલવિયાનગર પોલીસે સોમવારે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ મંગળવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરી ત્રણેયને પોલીસ હવાલે કર્યા હતા. બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાનું કાવતરું ક્યાં રચવામાં આવ્યું હતું તે સહિતના મુદ્ે પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow