જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ, મિનારાની રચના અને વાસ્તુ જાણવા પુરાવા લીધા

જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ, મિનારાની રચના અને વાસ્તુ જાણવા પુરાવા લીધા

જ્ઞાનવાપી પરિસરના સરવેના પાંચમા દિવસે મંગળવારે એએસઆઇ ટીમ ત્રણેય ગુંબજ અને મિનારાના કાંગરા સુધી પહોંચી હતી. ટીમે ઇમારતની રચના અને વાસ્તુશૈલીનો પ્રકાર જાણવાની સાથેસાથે ઇમારતની બનાવટમાં વપરાયેલી સામગ્રીની તપાસ કરી. ગુંબજ અને ઇમારતના દરેક ભાગના નિર્માણમાં કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો અને કયા સમયગાળામાં ઉપયોગ કરાયો હતો, તેની માહિતી પણ ટીમે મેળવી હતી. સરવે પછી સમગ્ર ઇમારત એક જ સમયે ઊભી કરાઈ છે કે જુદા જુદા સમયમાં તોડફોડ કરીને બનાવાઈ છે, તેની તપાસ કરીને અહેવાલ સુપરત કરશે.

મંગળવારે સરવે માટે બનાવાયેલી ત્રણ ટીમ પૈકી એક ટીમ મિનારા અને ગુંબજના કાંગરા પર હતી. એક ટીમ ભોંયરામાં જ્યારે ત્રીજી ટીમ પશ્ચિમી દીવાલના આંતરિક ભાગોમાં રહેલા કાટમાળમાંથી પુરાતત્ત્વીય પુરાવા મેળવ્યા હતા. એએસઆઇના પૂર્વ અધિક મહાનિદેશક બી. આર. મણિએ કહ્યું કે આ પ્રકારની ઇમારતોની પુરાતત્ત્વીય તપાસમાં જીપીઆરની સાથે મૅગ્નેટોમીટર અને ટોટલ સ્ટેશન જેવાં ઉપકરણોની પણ મદદ લેવાતી હોય છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow