જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ, મિનારાની રચના અને વાસ્તુ જાણવા પુરાવા લીધા

જ્ઞાનવાપીના ત્રણેય ગુંબજ, મિનારાની રચના અને વાસ્તુ જાણવા પુરાવા લીધા

જ્ઞાનવાપી પરિસરના સરવેના પાંચમા દિવસે મંગળવારે એએસઆઇ ટીમ ત્રણેય ગુંબજ અને મિનારાના કાંગરા સુધી પહોંચી હતી. ટીમે ઇમારતની રચના અને વાસ્તુશૈલીનો પ્રકાર જાણવાની સાથેસાથે ઇમારતની બનાવટમાં વપરાયેલી સામગ્રીની તપાસ કરી. ગુંબજ અને ઇમારતના દરેક ભાગના નિર્માણમાં કેવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો અને કયા સમયગાળામાં ઉપયોગ કરાયો હતો, તેની માહિતી પણ ટીમે મેળવી હતી. સરવે પછી સમગ્ર ઇમારત એક જ સમયે ઊભી કરાઈ છે કે જુદા જુદા સમયમાં તોડફોડ કરીને બનાવાઈ છે, તેની તપાસ કરીને અહેવાલ સુપરત કરશે.

મંગળવારે સરવે માટે બનાવાયેલી ત્રણ ટીમ પૈકી એક ટીમ મિનારા અને ગુંબજના કાંગરા પર હતી. એક ટીમ ભોંયરામાં જ્યારે ત્રીજી ટીમ પશ્ચિમી દીવાલના આંતરિક ભાગોમાં રહેલા કાટમાળમાંથી પુરાતત્ત્વીય પુરાવા મેળવ્યા હતા. એએસઆઇના પૂર્વ અધિક મહાનિદેશક બી. આર. મણિએ કહ્યું કે આ પ્રકારની ઇમારતોની પુરાતત્ત્વીય તપાસમાં જીપીઆરની સાથે મૅગ્નેટોમીટર અને ટોટલ સ્ટેશન જેવાં ઉપકરણોની પણ મદદ લેવાતી હોય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow