સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

સુપ્રીમ લીડરની ભાણીની પણ ધરપકડ થઇ

ઇરાનની સરકાર હિજાબના વિરોધમાં થતાં પ્રદર્શનમાં ભાગ લેનારા કોઇ પણ વ્યક્તિને છોડતી નથી. ત્યાં સુધી કે ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની ભાણીની પણ ધરપકડ કરી લીધી છે. હકીકતમાં સુપ્રીમ લીડરની ભાણી મોરાદખાનીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેમણે ઇરાન સરકારને ‘હત્યારા’અને ‘બાળકોના હત્યારા’ બતાવ્યા હતા. સાથે જ આયાતુલ્લાહ ખામેનેઇની તુલના જર્મનીના તાનાશાહ હિટલર અને મુસોલિની સાથે કરી હતી.

ફરિદેહ મોરાદખાની એક પ્રખ્યાત માનવાધિકાર કાર્યકર્તા છે. આ વીડિયોમાં બીજા દેશની સરકારને અપીલ કરી રહ્યા હતા કે તેઓ ઇરાન સાથે બધા સંબંધોને ખત્મ કરી નાખે. આ વીડિયોને ઓનલાઇન પોસ્ટ કર્યાના બે દિવસ પછી જ તેમની ધરપકડ કરવામાં આવી. ફરિદેહના વીડિયોને તેમના ભાઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, ત્યાર બાદ પ્રદર્શનકારીઓ તેને ખૂબ શેર કરી રહ્યા છે. તેની ધરપકડ થવાની જાણકારી તેના ભાઇએ આપી હતી. ફરિદેહ એક એન્જિનિયર છે, તેના પિતા વિપક્ષના મોટા નેતા હતા. જેમણે ખામેનેઇની બહેન સાથે લગ્ન કર્યા હતા.

ફરિદેહના ભાઇ મહમૂદ મોરાદખાની અનુસાર તેમને એક સમન્સ પાઠવીને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી. પોતાના વીડિયોમાં ફરિદેહે પ્રદર્શનકારીઓના દમનની આલોચના કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની પણ કોઇ એક્શન ન લેવા માટે નિંદા કરી હતી અને ઇરાન પર લગાવેલા સૈંક્શનસને મજાક ગણાવી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow