સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

સરહદી વિસ્તારોમાં પર્યટન શરૂ થવાથી સ્થાનિક લોકોમાં આશા જાગી

77 વર્ષીય વૃદ્ધ કિશનગંગા નદીના બીજા છેડે ધ્યાનથી જોઇ રહ્યા છે,. જ્યાં તેઓ ઊભા છે ત્યાંથી 80-90 મીટરના અંતરે પીઓકેની નીલમ ખીણ છે. જે આપણા દેશના તાજ સમાન છે. આપણી તરફ કેરન ગામ છે. જે શ્રીનગરથી 165 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉત્તરી કાશ્મીરના આ ક્ષેત્રમાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ ગયા વર્ષે બોર્ડર ટૂરિઝમની શરૂઆત કરી હતી. કલમ 370ને દૂર કરવામાં આવ્યા બાદ ચાર વર્ષ પૂર્ણ થયાં છે સરહદી વિસ્તારોમાં પ્રવાસની શરૂઆત થયા બાદ સ્થાનિક લોકોમાં આશા જાગી છે. ભાસ્કરની ટીમે નીલમ વેલીની પાસે સરહદના અંતિમ ગામ કેરનમાં જઇને સ્થિતિની સમીક્ષા કરી હતી.

અહીંથી આશરે 130 કિમીના અંતરે બાલાકોટ છે, જ્યાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. કેરન ગામના લોકોએ દુશ્મનોની ગોળીનો સામનો કર્યો છે. દરેક ઘરમાં બંકર છે. બે વર્ષ પહેલાં સેનાએ કોમ્યુનિટી બંકર બનાવ્યાં હતાં. ગામમાં આશરે 200 પરિવાર છે. દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પીઓકેમાં છે. વૃદ્ધ અશરફ મીર કહે છે કે 1986-87માં આતંકની શરૂઆત થઇ હતી અને પાકિસ્તાનમાંથી આતંકી આપણાં ગામોમાં ઘૂસણખોરી કરી ગયા હતા. ગામના લોકો તેમની વાતોમાં આવીને પેલે પાર જતા રહ્યા હતા. તેઓ શિખર તરફ ઇશારો કરતા કહે છે કે ઉપર ભુગના ગામમાં 10 હજાર લોકો રહેતા હતા. પરંતુ સમગ્ર ગામના લોકો તેમની વાતોમાં આવીને જતા રહ્યા હતા. આજે ભુગનામાં સેના ઉપરાંત કોઇ નથી. તમામ ઘર ખાલી છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow