સેન્સેક્સ 67, 927ના સ્તરે પહોંચ્યો

સેન્સેક્સ 67, 927ના સ્તરે પહોંચ્યો

આજે એટલે કે શુક્રવારે (15 સપ્ટેમ્બર) શેરબજાર ઓલટાઈમ હાઇ હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 67,927ના સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટી પણ 20,222ની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે બાદમાં બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 67,838ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં 67 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, 20,170ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 20 શેરમાં ખરીદદારી અને 10 શેરમાં વેચવાલી જોવા મળી હતી. ઓટો અને પીએસયુ બેન્કિંગ શેરો બજારની તેજીમાં મોખરે હતા. બજાજ ઓટો, હીરો મોટોકોર્પ અને M&M શેરો નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. BPCLનો શેર ટોપ લૂઝર છે. સેન્સેક્સ પર સૌથી વધુ ફાયદો M&M, ભારતી એર ટેલ અને ટાટા મોટર્સમાં થયો હતો. HULમાં ઘટાડો જોવા મળ્યો હતો.

બાય ઑન ડીપ્સનો અપ્રોચ બનાવી રાખો
રેલિગેર બ્રોકિંગના અજિન મિશ્રાએ કહ્યું- અમને આશા છે કે નિફ્ટીમાં સકારાત્મક વલણ ચાલુ રહેશે. લોકોએ 'બાય ઑન ડીપ્સ' અભિગમ જાળવી રાખવો જોઈએ. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીઝના વિનોદ નાયરે જણાવ્યું હતું કે તહેવારોના કારણે માગમાં વધારો થવાની અપેક્ષાએ ઓટો શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. ચીન તરફથી અપેક્ષા કરતાં વધુ સારા આર્થિક ડેટાને કારણે વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow