બંગાળનું ગુપ્ત વૃંદાવન ધામ

બંગાળનું ગુપ્ત વૃંદાવન ધામ

કોલકાતાથી આશરે 35 કિ.મી. દૂર બજબજ નજીક બાવલી ગામ છે. અહીં 350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે કડક નિયમો છે. અહીં તેમણે દર્શન કરવા શાકાહારી હોવું પણ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત મંદિરમાં મૂર્તિને સ્પર્શવા પર પણ પ્રતિબંધ છે. આ ગુપ્ત વૃંદાવન ધામ તરીકે પણ ઓળખાય છે. પાંચ એકરમાં ફેલાયેલા આ ધામમાં પાંચ મંદિર છે, જેનો હાલ જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.

એવું કહેવાય છે કે, આ મંદિરોનું નિર્માણ ભલે બાવલીના મંડળ જમીનદારો કરાવી રહ્યા છે, પરંતુ તેના મૂળિયા ઉત્તર પ્રદેશમાં છે. આ મંદિરના નિર્માણ, નામકરણ અને નિયમોને લઈને સમિતિના સભ્ય દીવાકર કોલે અનેક રસપ્રદ માહિતી આપતા કહ્યું છે કે, માયાપુર ઈસ્કોન મંદિર અને ગૌડીય મઠની જેમ આ મંદિરમાં કડક નિયમો છે. જો પુરુષ પૂજા કરવા ઈચ્છે છે તો વૈષ્ણવ ધર્મના મતે તિલક, ગળામાં ત્રણ વળાંક ધરાવતી તુલસી માળા જરૂરી છે, જ્યારે મહિલાઓ માટે પણ તિલક અને ગળામાં ફક્ત તુલસીની માળા પૂરતી છે.

ચૈતન્ય મહાપ્રભુ આવ્યા પછી કાયાપલટઃ કોલેએ માહિતી આપી કે, બાવલી મંડળ જમીનદારો શિવભક્ત હતા, પરંતુ સદીઓ પહેલા ચૈતન્ય મહાપ્રભુ અહીં આવ્યા હતા. હકીકતમાં નદિયાના જમીનદાર ગૌર મોહન દાસ સાથે ચૈતન્ય પ્રભુ પગપાળા ભ્રમણ કરતા હતા. તેઓ બાવલી આવ્યા ત્યારે તેમણે મંડળ જમીનદારના મનમાં વૈષ્ણવ ધર્મ પ્રત્યે આસ્થા જગાડી. પછી તેઓ વૈષ્ણવ ધર્મના ઉપાસક થઈ ગયા. આ જમીનદારોએ કૃષ્ણના 108 નામ પર મંદિર બનાવવાનું પ્રણ લીધું. તે અંતર્ગત જ બાવલીમાં 17 મંદિર બન્યા. હાલ અહીં પાંચ જ મંદિર સારી સ્થિતિમાં છે. બાકી રાધાવલ્લભ, રાધાગોપીનાથ, રાધાગોવિંદ, ગોપાલજી અને જગન્નાથ અને બલરામ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow