ઈઝરાયલમાં યહૂદીઓને વધુ કટ્ટર બનાવવા સ્કૂલ કોર્સ પણ બદલાયો

ઈઝરાયલમાં યહૂદીઓને વધુ કટ્ટર બનાવવા સ્કૂલ કોર્સ પણ બદલાયો

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર આ વખતે અનેક કટ્ટરપંથી પક્ષો પર નિર્ભર છે. તેમણે મંત્રાલયોની વહેંચણી પણ એ જ આધારે કરી છે કે, યહૂદી વિચારધારાને કેવી રીતે વધુ કટ્ટર બનાવી શકાય. એટલે મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી એવા લોકોને અપાઈ છે, જે કટ્ટરવાદી છે અને આધુનિકતાના વિરોધી છે. આ સરકારે રાષ્ટ્રીય મિશન મંત્રાલય નામે એક નવું મંત્રાલય પણ બનાવ્યું છે. તે મંત્રાલય જોશે કે, સ્કૂલમાં યહૂદી સમર્થિત ઇતિહાસ ભણાવાય અને તેમની વિરુદ્ધ કશું જ ના જણાવાય. જોકે, અગાઉ સ્કૂલોનો અભ્યાસક્રમ શિક્ષણ મંત્રાલય નક્કી કરતું હતું. હવે તો રાષ્ટ્રીય મિશન મંત્રીને જ યહૂદીઓ વિરુદ્ધ થતા આંદોલનોનો સામનો કરવાની જવાબદારી સોંપાઇ છે.

ઈઝરાયલ સરકારનો વિરોધ કરનારા કહે છે કે, આ નવું મંત્રાલય યહૂદીવાદી છે. રાષ્ટ્રીય મિશન મંત્રાલયનું નેતૃત્વ કટ્ટર જમણેરી નેતા ઓરિટ સ્ટ્રોક કરશે. એવી જ રીતે, હેરિટેજ મંત્રાલય પણ અમિહાઇ એલિયાહૂને સોંપાયું છે. બિન-યહૂદીઓનું કહેવું છે કે, હવે એલિયાહૂ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરશે. તેઓ બિન-યહૂદીઓની ઐતિહાસિક ઇમારતો માટે ખતરો બની શકે છે.

ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ વિવાદિત મસ્જિદની મુલાકાત લીધી
ઈઝરાયલના કટ્ટર જમણેરી નેતા અને દેશના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રી બેન ગિવરે અલ અક્સા મસ્જિની મુલાકાત લીધી હતી. હાલ યહૂદીઓને અહીં સીમિત પ્રવેશ છે. ઈઝરાયલી મંત્રીના મસ્જિદમાં જવાથી તણાવ વધ્યો છે. હકીકતમાં યહૂદીઓનું કહેવું છે કે, જે સ્થળે આજકાલ અલ અક્સા મસ્જિદ છે, ત્યાં એક સમયે મંદિર હતું, જેને મુસ્લિમોએ ખંડિત કરીને મસ્જિદ બનાવી છે. તેઓ અહીં ફરી મંદિર બનાવવાની વાત કરે છે. પેલેસ્ટાઇનના ઉગ્રવાદી સંગઠન હમાસે ચેતવણી આપી હતી કે, અલ અક્સા મસ્જિદને લઇને ઈઝરાયલનું કોઇ પણ પગલું અત્યંત ગંભીરતાથી લેવાશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow