રેત માફિયાઓએ વધુ એક ભોગ લીધો

રેત માફિયાઓએ વધુ એક ભોગ લીધો

નર્મદા સહિતની નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન અનેક નિર્દોષ પરિવારોના માળા પીંખી રહ્યું છે. ભરૂચ તાલુકાના અસુરિયા ગામે રહેતાં અને કરજણ તાલુકામાં લગ્નની કંકોતરી આપવા નીકળેલાં આધેડને નારેશ્વર પાસે ડમ્પરના ચાલકે કચડી નાખતાં તેમનું મોત નીપજયું છે.

સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર રેતીમાફિયાઓ સામે કાર્યવાહી નહિ કરે તો ગુરૂવારથી નારેશ્વર ખાતે ધરણા કરવાની ચીમકી આપી છે. એક વર્ષ પહેલાં પણ નારેશ્વર રોડ પર ઝનોર ગામના બે લોકો સહિત 3 લોકોને ડમ્પરે કચડી નાંખ્યાં હતાં.

નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન
​​​​​​​કરજણ પાસે આવેલાં નારેશ્વર પાસે કંકોતરી આપવા જઇ રહેલાં ભરૂચ તાલુકાના અસુરીયા ગામના રહેવાસી પર રેતી ભરેલું ડમ્પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. તેઓ તેમના સંબંધી સાથે એકટીવા લઇને કરજણ તાલુકામાં રહેતાં સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં હતાં દરમિયાન નારેશ્વર પાસે રંગ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ડમ્પરે પાછળથી ટકકર મારતાં તેમના પર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા તેમનું મોત થયું હતું.

Read more

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભામાં 4 નગરસેવકો હાથ-કમરે પાટા બાંધીને પહોંચ્યા

રાજકોટ મનપાની સામાન્ય સભા (જનરલ બોર્ડ) આજે તોફાની બન્યું હતું. જેમાં વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ કરતા સામાન્ય સભા બહાર

By Gujaratnow
રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટમાં પાનના ધંધાર્થી પર બે શખસનો સોડાબોટલથી હુમલો, મારી નાખવા ધમકી આપી

રાજકોટ શહેરમાં જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય એમ દર બે-ત્રણ દિવસે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાના સમાચાર સામે આવે છે. આજે(19 જુલાઈ) વધુ

By Gujaratnow