ઘોડા પર બેસવાનો હક્ક બાપુનો છે, કહી વરઘોડા પર પથ્થરમારો

ઘોડા પર બેસવાનો હક્ક બાપુનો છે, કહી વરઘોડા પર પથ્થરમારો

શહેરાના તરસંગ ગામે વરરાજા ઘોડા પર બેસી ગામમાં ફરતાં ગામના કેટલાક શખ્સો આવીને ઘોડા પર બેસવાનો હક્ક ગામના બાપુઓને છે, તેમ કહી વરરાજા સાથે ઝપાઝપી કરી વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં વરરાજા, તેની માતા અને બહેનને ઇજા થતાં શહેરા પોલીસ મથકે 11 સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધાયો છે.

ઘોડા પર બેસવાનો હક્ક ગામના બાપુઓને
​​​​​​​સોમવારની રાતે શહેરાના તરસંગ ગામના ભઠ્ઠી ફળિયામાં રહેતા હિમ્મતસિંહ સભસિંહ બારીઆના પુત્ર નિમેષનું લગ્ન હતું અને તેનો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. રાતના 11 વાગ્યાની આસપાસ વરઘોડો ગામમાં આવેલી જૂની દૂધ ડેરી ચોરા આગળ આવતાં ત્યાં ગરબાની રમઝટ ચાલી રહી હતી. તે વખતે ગામના જ લીમડા ફળિયામાં રહેતા પુષ્પતસિંહ હિમ્મતસિંહ સોલંકી, ભરતસિંહ કાળુસિંહ સોલંકી, નિકુલસિંહ પુષ્પતસિંહ સોલંકી અને અશ્વિનસિંહ અરવિંદસિંહ સોલંકી અચાનક વરરાજા નિમેષ જે ઘોડા પર બેઠો હતો ત્યાં પહોંચી ગયા હતા.

વરઘોડામાં અફરા-તફરીનો માહોલ સર્જાયો
આ શખ્સો વરરાજાને ઘોડા ઉપરથી નીચે ઊતરી જવાનું કહેવા લાગ્યા હતા. ‘ઘોડા પર તો અમે બાપુ જ બેસી શકીએ, તું કેવી રીતે બેઠો?’ એમ કહીને વરરાજા નિમેષની ફેંટ પકડીને ઘોડા પરથી નીચે ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે નિમેષની માતા અને અન્ય લોકો સમજાવવા માટે આવતાં તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ઘોડા ઉપર બેસવાનો હક્ક અમને બાપુઓને છેનું રટણ સતત ચાલુ રાખ્યું હતું. દરમિયાન જૂની દૂધ ડેરી પરથી કેટલાક માણસોએ અચાનક જ પથ્થરમારો કરતાં વરઘોડામાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

વરઘોડામાં આવેલા ડીજેની પણ તોડફોડ કરવામાં આવી ​​​​​​​
આ ઉપરાંત વરઘોડામાં સામેલ લીમડાવાળા ફળિયામાં રહેતા ગજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ બળદેવસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ ગિરવતસિંહ ભાટી, મહેન્દ્રસિંહ રણવતસિંહ સોલંકી, શૈલેષસિંહ વિક્રમસિંહ સોલંકી અને કૈલાશબેન મહેન્દ્રસિંહ સોલંકી પણ નજીકમાં આવેલા મંદિરની ધજાના દંડા કાઢીને માર મારવા લાગ્યાં હતાં. આ સિવાય વરઘોડામાં આવેલા ડીજેની પણ તોડફોડ કરવામાં આવી હતી.

હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ​​​​​​​

પથ્થરમારામાં વરરાજાની માતાને માથાના ભાગે પથ્થર વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. જ્યારે વરરાજા નિમેષ તેમજ પિતરાઈ બહેનને પણ ઈજાઓ થતાં રાત્રીના સમયે ખાનગી વાહન મારફતે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. શહેરા પીઆઈ રાહુલ રાજપૂતને ઘટના અંગેની જાણ થતાં રાત્રીના પોલીસ કાફલા સાથે તરસંગ ગામે પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

વરરાજાના પિતાની ફરિયાદના આધારે પોલીસે 11 વ્યક્તિઓ સામે રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડ માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow