સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ

સારી ઊંઘનો મળી ગયો ઉપાય, સાવ મફતમાં આખી રાત આવી જશે મીઠી ઊંઘ

એકદમ નિરોગી જીવન જીવવા માટે મીઠી ઊંઘ લેવી જરુરી છે. સારી અને જલદી ઊંઘ આવી જાય એટલે લોકો જાતજાતના ઉપાયો કરતા હોય છે પરંતુ હવે સારી ઊંઘ લેવાનો વધુ એક ઉપાય મળી ગયો છે જે લોકોને કામમાં લાગી શકે છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો
વોશિંગ્ટન યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના સંશોધકોએ સ્ટડીને આધારે મોટો દાવો કર્યો છે કે સૂર્યપ્રકાશ લેવાથી સારી ઊંઘ આવી શકે છે. કારણ કે સૂર્યપ્રકાશ સીધો મનુષ્યોની બાયોલોજિકલ ક્લોકને પ્રભાવિત કરે છે.  નવા અભ્યાસમાં એવી હિમાયત કરવામાં આવી છે કે ખુલ્લા સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.‌

બધી સિઝનમાં તડકો ખાનારને સારી ઊંઘ આવે
સંશોધકોએ હવામાન અને ઊંઘની પેટર્નમાં ફેરફાર વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે, જે મુજબ દિવસ દરમિયાન વધુ બહાર જવાથી અને સૂર્યપ્રકાશ લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. સંશોધનકારોએ વિવિધ સીઝન દરમિયાન હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ કર્યો હતો.

સંશોધનકારોએ વિદ્યાર્થીઓના દિવસના સમયે ચાલવા અને હવામાનના ઉંઘ સાથેના સંબંધનું વિશ્લેષણ કર્યું હતું. તેમને જાણવા મળ્યું કે ઉનાળાની તુલનામાં વિદ્યાર્થીઓ શિયાળામાં સરેરાશ 35 મિનિટ પછી સૂતા હતા.

તેઓએ એ પણ શોધી કાઢ્યું કે જે વિદ્યાર્થીઓ ઉનાળા, શિયાળા અને વસંત ઋતુમાં આખો દિવસ બહાર ફરતા હોય છે તેમને એકસરખી ઊંઘ આવે છે.

તડકો ખાવાથી ઊંઘ કેમ સારી આવે
સંશોધનકારોએ જણાવ્યું હતું કે માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક સૂર્યપ્રકાશથી પ્રભાવિત થાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આપણી સારી ઊંઘ માટે જૈવિક ઘડિયાળ જવાબદાર હોઈ શકે છે. જીવવિજ્ઞાની હોરાસિયો દ લા ઇગલેસિયા કહે છે કે આપણા શરીરમાં કુદરતી ઘડિયાળ હોય છે, જે આપણને રાત્રે ક્યારે સૂવું તે જણાવે છે.

શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ
ડૉક્ટરો અને નિષ્ણાતો ખાસ કરીને શિયાળામાં ચાલવાની અને સનબાથ કરવાની સલાહ પણ આપે છે. હવે શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ તડકો લો અને ચાલો. આનાથી સારી ઉંઘ આવશે અને સારી ઊંઘ શરીરને પણ રોગમુક્ત રાખશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow