દેશમાં રેફ્રિજરેશન-કોલ્ડચેઈન માર્કેટ 2.86 લાખ કરોડ પહોંચશે

દેશમાં રેફ્રિજરેશન-કોલ્ડચેઈન માર્કેટ 2.86 લાખ કરોડ પહોંચશે

રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશન યોજાઇ ગઇ જેમાં ગ્લોબલ કોલ્ડચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરનું હતું તે વૃધ્ધિ પામીને વર્ષ 2028 સુધીમાં 15.8 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી આગળ ધપી રહ્યું છે. ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022માં રૂ.1.28 લાખ કરોડનું છે તે 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની ગણતરી છે.

ભારતમાં હાલમાં 36 મિલિયન મે.ટન ક્ષમતા ધરાવતા 8200થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. આ ક્ષમતા વિશ્વમાં સૌથી મોટી ગણાય છે. અહીં એ બાબતની નોંધ લેવી જોઈએ કે ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, કારણ કે ભારતમાં 69,000ની જરૂરિયાત સામે 10,000 પેક હાઉસીસ છે તથા 60,000 રિફર વાહનોની જરૂરિયાત સામે 10,000 રિફર વાહનો છે.

ફળ પકાવવા માટેની ચેમ્બર્સ માત્ર 1,000 છે, જ્યારે તેની કુલ જરૂરિયાત 9,000ની છે. રેફકોલ્ડનો ઉદ્દેશ આ ઊણપ પૂરી કરીને ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવાનો છે. રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow